મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના આગેવાનો રાજકોટમાં NT-DNT બોર્ડ સભ્ય ભરતભાઈ પટણીની હાજરીમાં યોજાયેલ બેઠકમાં હાજર રહ્યા


SHARE













મોરબી જિલ્લાના આગેવાનો રાજકોટમાં NT-DNT બોર્ડ સભ્ય ભરતભાઈ પટણીની હાજરીમાં યોજાયેલ બેઠકમાં હાજર રહ્યા

વિચરતી વિમુક્ત જાતિ સમુદાયની શીબીર ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય NT-DNT બોર્ડ સભ્ય ભરતભાઈ પટણી રાજકોટની મુલાકાતે આવ્યા હતા તેમજ NT-DNT સમુદાયના આગેવાનોની મિટિંગ રાજકોટ સર્કિટ હાઉસના હૉલમાં યોજવામાં આવેલી હતી. જેમાં રાજકોટ શહેર તથા રાજકોટ જિલ્લા, મોરબી જીલ્લાના વિચરતી વિમુક્ત જાતિઓના આગેવાનો તથા કાર્યકરો હાજર રહેલા હતા. 

રાજકોટના રૈયાધાર વસાહતની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાતમાં વસાહતના રહીશોને પડતી મુશ્કેલીની રજૂઆત કરવામાં આવી હતી તે બાબતે ભરતભાઈ પટણીએ મુલાકાતમાં બાદ વિકસતી જાતિ કલ્યાણ અધિકારી તથા મામલતદાર વિગેરેને સ્વચ્છ પાણી પૂરું પાડવા, ગટર લાઈન અંગેની વ્યવસ્થા કરવા, નિયમિત સફાઈ કામ કરવા તથા વિજળીની સુવિધાઓ અપૂરતી હોવાથી તાત્કાલિક અગ્રિમતાના ધોરણે વ્યવસ્થાઓ પુરી પાડવા માટે સૂચના કર્યા હતા, NT-DNT સમુદાય લોકોને પડતી મુશ્કિલો આવાસ માટે જમીન, શિક્ષણ માટે આંગણવાડી અને પ્રાથમિક શાળા આ વસાહતોમાં ચાલુ કરવા માટે તથા શાકભાજી વ્યવસાય કરતા લોકોને સ્થાયી જગ્યાએ બ્લોક ફાળવણી કરવા તથા મહાનગર પાલિકાના દબાણ વિભાગ દ્વારા લારીઓ ઉપાડી જવાની બંધ કરવા માટે કમિશનરને સૂચના આપવા માટેનો હુકમ કરવા માટેની ચર્ચા કરવામાં આવેલ હતી. મોરબી જીલ્લામાથી સુરેશભાઈ પી .શિરોહીયા (પૂર્વ કાઉન્સિલર અને મંત્રી મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો), સુખદેવભાઈ દેલવાણીયા (પ્રભારી કચ્છ જીલ્લા યુવા ભાજપ)વસંતલાલ ડી. વ્યાસ (ઉપપ્રમુખ વ્યાસ પ્રગતિ મંડળ મોરબી) અને મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચોકોળી સમાજ આગેવાન અજયભાઈ વાધાણી, મોરબી કોળી સમાજ આગેવાન હાજર રહ્યા હતા.




Latest News