મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી
Breaking news
Morbi Today

મોરબી તાલુકાનાં ખેડૂતોને ખેતીમાં થયેલ નુકશાન સામે તાત્કાલિક સહાય આપો: કોંગ્રેસની આગેવાનીમાં માંગ


SHARE













મોરબી તાલુકાનાં ખેડૂતોને ખેતીમાં થયેલ નુકશાન સામે તાત્કાલિક સહાય આપો: કોંગ્રેસની આગેવાનીમાં માંગ

ચાલુ વર્ષે કારતક માહિનામાં પણ કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે ખેતીના પાકમાં નુકસાની થયેલ છે તેનો સર્વે કરવાના બદલે વિશેષ પેકેજ જાહેર કરીને ખેડૂતોને સહાય આપવાની કોંગ્રેની આગેવાની હેઠળ માંગ કરવામાં આવેલ છે. અને મોરબીના મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.

હાલમાં મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ વિજયભાઈ કોટડીયા, શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, લલિતભાઈ કાસુન્દ્રા , રજનીશભાઈ સીરવી, હિતેષભાઇ ભટ્ટ, ચિરાગભાઈ રાચ્છ, વસીમભાઈ મન્સૂરી સહિતના કોંગ્રેસનાં આગેવાનો અને ખેડૂતો દ્વારા જે આવેદન પત્ર આપવામાં આવ્યું છે તેમાં જણાવ્યુ છે કે, ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાંથી મોરબી જિલ્લો બાકાત નથી અને મોરબી તાલુકામાં ખેડૂતોના કપાસ, મગફળી સહિતના ખરીફ પાકને નુકસાન થયું છે. ત્યારે સર્વે નહીં પરંતુ ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરીને તેઓને સહાય આપવામાં આવે તે જરૂરી છે.

ગયા વર્ષે 2024 માં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદનો માર ખેડૂતોએ સહન કર્યો હતો તેવી રેટે ચાલુ વર્ષે ઓક્ટોમ્બર અને નવેમ્બર માહિનામાં કમોસમી વરસાદ પડ્યો છે જેથી ખેડૂતોની કમર તૂટી ગયેલ છે ત્યારે ખેડૂતોલીધેલ પાક ધીરાણ કેમ ભરશે તે સહિતના પ્રશ્નો ઊભા થયા છે જેથી કરીને ખેડૂતો બેઠા થઈ શકે અને આવનાર શિયાળુ સિઝન માટે વાવેતર કરી શકે તેના માટે તાત્કાલિક સહાય આપવાની માંગ કરેલ છે. સાથોસાથ ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણપણે માફ કરીને અગાઉની જેમ પાક વીમા યોજના અમલમાં મૂકવામાં આવે તેવી માંગ કરી છે. તથા ખેડૂતોની મગફળીમાં વરસાદના કારણે ભેજનું પ્રમાણ વધારે હશે તેને ધ્યાને રાખીને ટેકાના ભાવે ખરીદીના માપદંડોમાં ફેરફાર કરવાની માંગ કરેલ છે. 






Latest News