મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી તાલુકાનાં ખેડૂતોને ખેતીમાં થયેલ નુકશાન સામે તાત્કાલિક સહાય આપો: કોંગ્રેસની આગેવાનીમાં માંગ


SHARE













મોરબી તાલુકાનાં ખેડૂતોને ખેતીમાં થયેલ નુકશાન સામે તાત્કાલિક સહાય આપો: કોંગ્રેસની આગેવાનીમાં માંગ

ચાલુ વર્ષે કારતક માહિનામાં પણ કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે ખેતીના પાકમાં નુકસાની થયેલ છે તેનો સર્વે કરવાના બદલે વિશેષ પેકેજ જાહેર કરીને ખેડૂતોને સહાય આપવાની કોંગ્રેની આગેવાની હેઠળ માંગ કરવામાં આવેલ છે. અને મોરબીના મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.

હાલમાં મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ વિજયભાઈ કોટડીયા, શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, લલિતભાઈ કાસુન્દ્રા , રજનીશભાઈ સીરવી, હિતેષભાઇ ભટ્ટ, ચિરાગભાઈ રાચ્છ, વસીમભાઈ મન્સૂરી સહિતના કોંગ્રેસનાં આગેવાનો અને ખેડૂતો દ્વારા જે આવેદન પત્ર આપવામાં આવ્યું છે તેમાં જણાવ્યુ છે કે, ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાંથી મોરબી જિલ્લો બાકાત નથી અને મોરબી તાલુકામાં ખેડૂતોના કપાસ, મગફળી સહિતના ખરીફ પાકને નુકસાન થયું છે. ત્યારે સર્વે નહીં પરંતુ ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરીને તેઓને સહાય આપવામાં આવે તે જરૂરી છે.

ગયા વર્ષે 2024 માં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદનો માર ખેડૂતોએ સહન કર્યો હતો તેવી રેટે ચાલુ વર્ષે ઓક્ટોમ્બર અને નવેમ્બર માહિનામાં કમોસમી વરસાદ પડ્યો છે જેથી ખેડૂતોની કમર તૂટી ગયેલ છે ત્યારે ખેડૂતોલીધેલ પાક ધીરાણ કેમ ભરશે તે સહિતના પ્રશ્નો ઊભા થયા છે જેથી કરીને ખેડૂતો બેઠા થઈ શકે અને આવનાર શિયાળુ સિઝન માટે વાવેતર કરી શકે તેના માટે તાત્કાલિક સહાય આપવાની માંગ કરેલ છે. સાથોસાથ ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણપણે માફ કરીને અગાઉની જેમ પાક વીમા યોજના અમલમાં મૂકવામાં આવે તેવી માંગ કરી છે. તથા ખેડૂતોની મગફળીમાં વરસાદના કારણે ભેજનું પ્રમાણ વધારે હશે તેને ધ્યાને રાખીને ટેકાના ભાવે ખરીદીના માપદંડોમાં ફેરફાર કરવાની માંગ કરેલ છે. 




Latest News