મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાનાં ખેડૂતોને તાત્કાલિક નુકશાની સહાય ચૂકવવા-પાક વીમા યોજનાને ફરીથી ચાલુ કરવા કોંગ્રેસની આગેવાનીમાં ખેડૂતોની માંગ


SHARE













ટંકારા તાલુકાનાં ખેડૂતોને તાત્કાલિક નુકશાની સહાય ચૂકવવા-પાક વીમા યોજનાને ફરીથી ચાલુ કરવા કોંગ્રેસની આગેવાનીમાં ખેડૂતોની માંગ

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં ચાલુ વર્ષે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે આજે ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને તેઓને તાત્કાલિક સરકારી સહાય ચૂકવવામાં આવે તેમજ ગુજરાતમાં બંધ કરવામાં આવેલ પાક વીમા યોજનાને ફરીથી ચાલુ કરવામાં આવે તે સહિતની માંગણીઓ કરવામાં આવી છે.

ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ચાલુ વર્ષે કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લો પણ તેમાંથી બાકાત નથી અને ખાસ કરીને ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ચાલુ વર્ષે ચોમાસામાં ભારે વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ મોરબી જિલ્લોના પાંચે પાંચ તાલુકામાં કમોસમી વરસાદ થયો છે અને ટંકારા તાલુકામાં ખેડૂતો કપાસ, મગફળી સહિતના પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાની થઈ હોવાથી આજે કોંગ્રેસની આગેવાની હેઠળ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા ભૂપતભાઇ ગોધાણી, મહેશભાઇ રાજકોટિયાં અશોકભાઇ, સંઘાણી સહિતના કોંગ્રેસનાં આગેવાનો અને મોટી સંખ્યામાં ટંકારા તાલુકાનાં ખેડૂતો હાજર રહ્યા હતા.

ટંકારા તાલુકા કોંગ્રેસના આગેવાનો તથા ખેડૂતોના જણાવ્યા પ્રમાણે મોરબી જિલ્લામાં કપાસ અને મગફળી સહિતના જે પાકોનું ચોમાસુ પાક લેવા માટે થઈને ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું હતું તે પાક તૈયાર થઈ ગયો હતો તેવા સમયે કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને ખેડૂતો પાયમાલ થઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેથી સર્વે કરવાના બદલે કમોસમી વરસાદને ધ્યાનમાં રાખીને ખેડૂતોને તાત્કાલિક નુકસાની સામે સરકારી સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

ટંકારા તાલુકાના રામદેવસિંહ ઝાલા અને રાજેશભાઈ પટેલ સહિતના ખેડૂતોએ જણાવ્યુ હતું કે, છેલ્લા વર્ષોમાં અતિવૃષ્ટિ, વાવાઝોડું, કમોસમી વરસાદ વગેરેના કારણે ખેડૂતોને પાકમાં નુકસાન થવાના કારણે ખેડૂતોને બહુ મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે તેવામાં ચાલુ વર્ષે કમોસમી વરસાદથી ફરી નુકશાની થયેલ છે. જેથી કરીને હવે ખેડૂતો પોતાના ખેતરની અંદર શિયાળુ પાક માટે વાવેતર કરી શકે તેવી પણ તેઓની આર્થિક સ્થિતિ નથી જેથી સરકાર દ્વારા તાત્કાલિક નિર્ણય કરીને ખેડૂતોને આર્થિક સહાય ચૂકવવામાં આવે અને જે રીતે અગાઉ યુપીએ સરકારે ખેડૂતોના કરોડો રૂપિયાના દેવા માફ કર્યા હતા તેવી જ રીતે ગુજરાત સરકાર ચાલુ વર્ષે કમોસમી વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ લીધેલ લોન અને ધિરાણના દેવા માફ કરે તેવી માંગ કરી છે.

ટંકારા તાલુકાનાં ખેડૂત હિંમતભાઈ પટેલ અને અશ્વિનભાઈ ડાંગરે જણાવ્યુ હતું કે, અગાઉ ગુજરાતમાં ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તો તેઓને પાક વીમો લીધેલો હોય તો પાક વીમો મળતો હતો જેથી કરીને ખેડૂતો બેઠા થઈ શકતા હતા જોકે, હવે સર્વેના નાટકો કરવામાં આવે છે અને પછી પાસેરામાં પૂણી જેટલું વળતર ચૂકવવામાં આવે છે તેના બદલે અગાઉની જેમ જ ગુજરાતમાં ફરી પાછી પાક વીમા યોજના અમલમાં મૂકવામાં આવે તેવી પણ માંગણી આજે કોંગ્રેસની આગેવાની હેઠળ ખેડૂતો દ્વારા કરવામાં આવેલ છે આટલું નહીં પરંતુ મગફળીમાં કમોસમી વરસાદના કારણે ભેજનું પ્રમાણ વધારે રહે છે અને ટેકાના ભાવે ખરીદીના જે માપદંડો છે તેમાં પણ ફેરફાર કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે અને ખેડૂતોને જ્યારે શિયાળુ પાક માટે વાવણી કરવાની હોય ત્યારે તેઓને બિયારણ, ખાતર વગેરે સમયસર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.




Latest News