મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં વહેલી સવાર સુધી કામ કરીને નાસ્તો કરવા નીકળેલ દંપતીની કાર મેટાડોરમાં અથડાતાં મહિલાનું મોત


SHARE













મોરબીમાં વહેલી સવાર સુધી કામ કરીને નાસ્તો કરવા નીકળેલ દંપતીની કાર મેટાડોરમાં અથડાતાં મહિલાનું મોત

મોરબીના શનાળા રોડે સમયના ગેટ નજીક રોડની સાઇડમાં મેટાડોરને પાર્ક કરીને મૂકવામાં આવ્યું હતું તેની પાછળના મંગળવારે સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં કાર અથડાઇ હતી જે બનાવમાં કારમાં બેઠેલ દંપતીને ઇજા થઈ હતી અને મહિલાનું મોત નીપજયું છે જેથી કરીને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

મોરબીના શનાળા રોડ ઉપરથી મંગળવારે સવારે પ્રકાશભાઈ કંઝારીયા તેઓના પતિની હિનાબેન કંઝારીયાને કારમાં બેસાડીને સમયના ગેટ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં રોડ સાઇડમાં એક મેટાડોરને પાર્ક કરીને મૂક્યું હતું તેની પાછળના ભાગમાં પ્રકાશભાઈ કંઝારીયાની કાર ધડાકાભેર અથડાઇ હતી જેથી કરીને કારની આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. જે બનાવમાં પ્રકાશભાઈ અને તેમના પત્ની હિનાબેન બંનેને ઇજા થઈ હતી અને આ બનાવમાં ગંભીર ઇજા પામેલ હિનાબેનનું મોત નીપજયું હતું. વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રકાશભાઈ અને તેના પત્ની તેઓના ઘરે વાતો બનાવવાનું કામ કરતાં હતા અને વહેલી સવાર પડી ગયેલ હોવાથી તેઓ નાસ્તો કરવા માટે પોતાની કાર લઈને નીકળ્યા હતા અને તેવામાં શનાળા રોડ ઉપર અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં હિનાબેનનું મોત થયા દંપતિ ખંડિત થયેલ છે અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની ર્બેતા મુજબની કાર્યવાહી કરેલ છે.




Latest News