માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

રાજ્યના મંત્રી બ્રિજેશભાઈએ કરેલા ખાતમુહુર્તનાં કામો ક્યારે ચાલુ થશે ?: રમેશભાઈ રબારી


SHARE

















રાજ્યના મંત્રી બ્રિજેશભાઈએ કરેલા ખાતમુહુર્તનાં કામો ક્યારે ચાલુ થશે ?: રમેશભાઈ રબારી

મોરબી માળિયાનાં ધારાસભ્ય તથા રાજ્યના પંચાયત અને શ્રમમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મંત્રીપદ મેળવ્યા પછી મોરબી અને માળીયા તાલુકામાં ધડોધડ ખાતમુહુર્ત કરવામાં આવી રહયા છે અને અત્યાર સુધીમાં મોરબી અને માળીયામાં સંખ્યાબંધ કરોડો રૂપિયાના મુલ્યના કામોના ખાતમુર્હત કરવામાં આવેલ છે જો કે, આ ક કયારે કરવામાં આવશે તેવો સવાલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના માજી ઉપપ્રમુખ રમેશભાઈ રબારી દ્વારા કરવામાં આવેલ છે

છેલ્લા દિવસોમાં મોરબી અને માળીયા તાલુકામાં લોકઉપયોગી કામોનાં ખાતમુહૂર્ત મંત્રી દ્વારા કરવામાં આવેલ છે તે આવકારદાયક અને અભિનંદનને પાત્ર છે તેવું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના માજી ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ જણાવ્યુ છે અને સાથે સાથેએ પણ પ્રશ્ન કર્યો છે કે આ કામો કયારે અને કેવી રીતે શરૂ કરવામાં અસ્વશે અને જે કામ કરવામાં આવનાર છે તે કામોની ગુણવત્તા કેટલી અને કેવી રહેશે ? અને મંત્રીએ આજ દિવસ સુધીમાં કામોના કરેલ ખાત મુહુર્તની સવિસ્તાર મતદારોની જાણકારી માટે પણ અખબારી યાદી આપવી જોઈએ. હાલમાં ખાતમુહુર્તમાં કરોડો રૂપિયાની લહાણી કરેલ છે ત્યારે આ કામો નિયત સમયમાં સંપૂર્ણ ગુણવત્તા સભર બનાવાય તે પણ મંત્રીની જવાબદારી છે કેમ કે, માત્ર ખાતમુહુર્ત કરવાથી કામ થતા નથી આ કામ આગામી ચૂંટણી પહેલા થશે કે ચૂંટણી પછી એ જ સવાલ છે ? અને હાલમાં થતાં ખાતમુહુર્ત ચુંટણીલક્ષી લોલીપોપ ન બની રહે અને મત વિસ્તારના મતદાતાઓ માટે ચોકકસ ઉપયોગી બને તેવા પગલાં લેવા જોઈએ વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, ધારાસભ્ય તરીકે બ્રિજેશભાઈએ જે ખાતમુર્હુત કરેલ હતા તે કામ પૂરા થયા નથી તો હવે મંત્રી તરીકે ખાતમુહર્ત કરો છો તે કામ ક્યારે પુરા થશે તે પ્રશ્ન છે 




Latest News