મોરબીના જીવાપર અને આમરણ વચ્ચે બોલેરો પલ્ટી જતા બે યુવાનો ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં
મોરબીમાં નવયુગ કરીઅર એકેડમી દ્વારા PSI-કોન્સ્ટેબલની પરીક્ષા પૂર્વે માર્ગદર્શન સેમિનારનું આયોજન
SHARE
મોરબીમાં નવયુગ કરીઅર એકેડમી દ્વારા PSI-કોન્સ્ટેબલની પરીક્ષા પૂર્વે માર્ગદર્શન સેમિનારનું આયોજન
આગમી સમયમાં પોલીસ વિભાગમાં મોટા પ્રમાણમાં ભરતી આવી રહી છે જેમાં PSI અને કૉન્સ્ટેબલનો સમાવેશ થાય છે અને તેની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મોરબીમાં નવયુગ કરીઅર એકેડમી દ્વારા ફ્રી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું છે. જેનો મોરબીના યુવાન અને યુવતીઓએ લાભ લેવા માટે આયોજક દ્વારા અપીલ કરાયેલ છે.
મોરબીમાં નવયુગ કરીઅર એકેડમી દ્વારા તા. 7/12 ને રવિવારના રોજ સાંજે 4 થી 6 કલાકે સંસ્કાર ઇમેજિંગ સેન્ટર સેમિનાર હોલ જી.આઈ.ડી.સી., શનાળા રોડ, મોરબી ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ખાસ કરીને પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી ?, શું વાંચવું ?, કયા વિષયમાંથી કેટલા પ્રશ્નો પુછાય છે ? વિગેરે જેવી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે. અને આ સેમિનારમાં મોટિવેશનલ સ્પીકર શૈલેષભાઈ સગપરિયા દ્વારા યુવાનોને માર્ગદર્શન આપવામાં આવશે. જેથી મોરબીના વિદ્યાર્થીઓને તેનો લાભ લેવા માટે આયોજકોએ આમંત્રણ આપ્યું છે અને છે. અને કાર્યક્રમમાં આવનારા વિદ્યાર્થીઓએ વોટ્સએપ નં.: 97272 47472 ઉપર નોંધણી કરાવવાની રહેશે.