વાંકાનેરના પાંચદ્વારકા ગામે રહેતા યુવાનને જેસીબી વેચવાનું કહીને યુપીના શખ્સે કરી 15.21 લાખની ઠગાઇ
મોરબીમાં ઘરકામ બાબતે પતિએ કહેતા મહિલાએ ઘરમાં અણધાર્યું પગલું ભરી લીધું
SHARE
મોરબીમાં ઘરકામ બાબતે પતિએ કહેતા મહિલાએ ઘરમાં અણધાર્યું પગલું ભરી લીધું
મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટીમાં રહેતા આધેડે તેના પત્નીને ઘરકામ બાબતે કહ્યું હતું જે બાબતે તેને લાગી હતા મહિલાએ પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો તેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.
મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટીમાં રહેતા રહેમતબેન ઓસમાણભાઈ સુમરા (55)એ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક મહિલાને તેના પતિએ ઘરકામ બાબતે કહ્યું હતું તે તેને લાગી આવતા મહિલાએ પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો હાલમાં પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.
વરલી જુગાર
મોરબીની માળિયા ફાટક ચોકડી પાસે જાહેરમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કાનજીભાઈ ઉર્ફે કાનો અમરસીભાઈ દેથરીયા (35) રહે. ઇન્દિરાનગર મફતિયાપરા મોરબી વાળો વરલીના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 210 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે.