મોરબીમાં ઘરમાં આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા ટંકારા ખાતે સર્વરોગ નિદાન મેડીકલ કેમ્પનું આયોજન  વાંકાનેરમાં ધૂળેટીએ બઘડાટી: મહિલાને ઠપકો આપવા ગયેલ શેરીના લોકો ઉપર ઈંટ-પથ્થરના છૂટા ઘા કરીને હુમલો મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી જગ્યાએ ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા બે યુવાનોના મોત: વાંકાનેરમાં સિંધાવદર પાસે પાણીના વોંકળામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે કબીર ટેકરીમાં ઘરમાં જુગાર રમતા 18 શખ્સ પકડાયા, 6.15 લાખનો મુદામાલ કબ્જે મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે
Breaking news
Morbi Today

મોરબીમાં રૂપિયા ફસાતા ચિંતામાં મુકાયેલ ત્રણ બહેનના એકના એક ભાઈએ જિંદગીને અલવિદા કર્યું, તપાસ જરૂરી


SHARE













મોરબીમાં રૂપિયા ફસાતા ચિંતામાં મુકાયેલ ત્રણ બહેનના એકના એક ભાઈએ જિંદગીને અલવિદા કર્યું, તપાસ જરૂરી

 

મૃતક યુવાને ઝેરી દવા પીધી હતી, સારવારમાં રાજકોટ ખાતે દમ તોડ્યો : પરિવારમાં આક્રંદ

મોરબીના મહેન્દ્રનગરમાં ત્રણ બહેનના એકના એક ભાઈ 36 વર્ષીય વિપુલ વિડજાએ ઝેરી દવા પીધા બાદ સારવારમાં મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. પરિવારે પ્રાથમિક તબક્કે જણાવ્યું કે, વિપુલના રૂપિયા કોઈ જગ્યાએ ફસાયા હતા. જેની પાસેથી રૂપિયા લેવાના હતા તેની પાસે અવાર નવાર ઉઘરાણી કરી હતી પણ રૂપિયા પરત મળ્યાં નહોતા. જેથી ચિંતામાં આવી જતા આ પગલું ભર્યું હોય તેમ બની શકે છે. જોકે, પોલીસે આત્મહત્યાનું સ્પષ્ટ કારણ શું છે તે જાણવા વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગે પોલીસ સૂત્રો અને પરિવારજનોએ આપેલી વિગત અનુસાર, મુળ મોરબી તાલુકાનાં રાપર ગામના અને પાનનો ગલ્લો ચલાવતા વિપુલભાઈ ભગવાનજીભાઈ વિડજા (ઉંમર વર્ષ 36, રહે. હનુમંત એપાર્ટમેન્ટ, મહેન્દ્રનગર, મોરબી) એ ગત તા.14/12  ના રોજ સાંજે 5 વાગ્યાં આસપાસ પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી.પરિવારજનોને જાણ થતા વિપુલને સારવાર અર્થે પ્રથમ મોરબીની સમર્પણ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લાવતા અહીં સારવાર મળે તે પહેલા જ તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો. મોરબી પોલીસના સ્ટાફે મૃતદેહને પીએમમાં ખસેડ્યો હતો. વિપુલ પાનનો ગલ્લો ચલાવતો. તેના આપઘાતના કારણ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ તરફ ત્રણ બહેનના એકના એક ભાઈએ આપઘાત કરી લેતા પરિવારમાં ભારે આક્રંદ છવાયો હતો






Latest News