મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

હળવદના માથક ગામે અચાનક ઉધરસ બાદ લોહીની ઉલટી થતાં વૃદ્ધનું મોત


SHARE







હળવદના માથક ગામે અચાનક ઉધરસ બાદ લોહીની ઉલટી થતાં વૃદ્ધનું મોત

હળવદના માથક ગામે રહેતા વૃદ્ધને અચાનક ઉધરસ આવતા લોહીની ઉલટી થવા લાગી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને વૃદ્ધને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

હળવદ તાલુકાના માથક ગામે રહેતા અશોકભાઈ ગાંડુભાઈ બોરાણીયા (60) નામના વૃદ્ધ પોતાના ઘરે હતા ત્યારે તેઓને અચાનક ઉધરસ થવા લાગી હતી અને ત્યારબાદ તેઓને લોહીની ઉલટી થઈ હતી જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં હોસ્પિટલે ફરજ પરના ડોક્ટર તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

મહિલા સારવારમાં

ભુજના રાપર તાલુકાના ખીરઈ ખાતે રહેતા મીનાબેન દિલીપભાઈ ભીલ (35) નામના મહિલાએ કોઈ કારણોસર એસિડ પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી.

આધેડ સારવારમાં

મોરબીમાં આવેલ કડીયા કુંભાર શેરીમાં રહેતા મહમદહનીફ ગનીભાઈ (50) નામના આધેડ રેલવે સ્ટેશન રોડ ઉપર જડેશ્વર મંદિર પાસેથી બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર બાઇક સ્લીપ થયું હતું જેથી કરીને આધેડને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને લાવ્યા હતા ત્યા તેઓને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરી છે.






Latest News