મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીની આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ મરણાવસ્થામાં આવેલા દર્દીને નવજીવન આપ્યું


SHARE













મોરબીની આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજામરણાવસ્થામાં આવેલા દર્દીને નવજીવન આપ્યું

મોરબીની આયુષ હોસ્પિટલમાં એક ૬૦ વર્ષના દર્દી ઇમરજન્સી વિભાગમાં સારવાર માટે આવ્યા હતા અને જ્યારે દર્દીને લઈને આવ્યા હતા તે બેભાન હાલતમાં હતા અને તેમનું ઓક્સિજન લેવલ માત્ર ૫૮ % હતું.

ત્યાર બાદ ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા દર્દીની તપાસ કરવામાં આવી હતી અને જણાયું હતું કે, દર્દીને હૃદયનો મોટો હુમલો આવેલો છે, દર્દીના લોહીમાં CO2 વાયુનું લેવલ ૯૮ જેટલું થઈ ગયું છે. કીડની પર ડેમેજ થયું છે, ફેફસામાં ચેપ ફેલાઈ ગયો છે.તેમજ દર્દીની હાલતને ધ્યાનમાં લેતા તાત્કાલિક ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા તેમને વેન્ટિલેટર પર મુકવામાં આવ્યા ,દર્દીના દીકરા દ્વારા ખુબજ ભાવુક રીતે વિનંતી કરવામાં આવી હતી કે સાહેબ આ મારા પપ્પા છે, તમારે ગમે તેમ કરીને એમને સાજા કરવાના છેઅને અંતે ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા આયુષ હોસ્પિટલમાં તેમની સચોટ નિદાન અને સારવાર ખુબજ સફળતાપૂર્વક થતા વેન્ટિલેટર પરના દર્દીની માત્ર ૫ દિવસમાં ખુબજ સારું થઈ જતા રજા કરવામાં આવી હતી. આથી દર્દી અને દર્દીના સગા દ્વારા ડો. સત્યજીતસિંહ જાડેજા તેમજ આયુષ હોસ્પિટલનો અંતઃકરણથી આભાર માનવામાં આવ્યો હતો.






Latest News