મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

હળવદના રણમલપુર ગામે સગીરાને તેના પિતાએ ઘરકામ-ખેતીકામ માટે ઠપકો આપતા ઝેરી દવા પી કર્યો આપઘાત: મોરબીમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE







હળવદના રણમલપુર ગામે સગીરાને તેના પિતાએ ઘરકામ-ખેતીકામ માટે ઠપકો આપતા ઝેરી દવા પી કર્યો આપઘાત: મોરબીમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

હળવદ તાલુકાના રણમલપુર ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારની સગીર દીકરીને તેના પિતાએ ઘર કામ અને ખેતી કામ કરવા બાબતે ઠપકો આપ્યો હતો જેથી તેને લાગી આવતા તે સગીરાએ ઝેરી દવા પી લીધી હતી અને તે સગીરાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જ્યારે મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ રાધા પાર્કમાં રહેતા યુવાને પોતાના ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો

મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના રણમલપુર ગામની સીમમાં ભરતભાઈ થડોદાની વાડીએ રહેતા રમેશભાઈ વેલીયાભાઈ નાયકની 17 વર્ષની દીકરી અમિષા ઉર્ફે વર્ષા રમેશભાઈ નાયકએ ગત તા 31/12 ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન સી.યુ. શાહ હોસ્પિટલ ખાતે તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવ અંગેની મૃતક સગીરાના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક સગીરા ઘરકામ કે ખેતીકામ કરતી ન હતી જેથી તેના પિતાએ ઘરકામ અને ખેતીકામ કરવાનું કહીને ઠપકો આપ્યો હતો જોકે તેને ઘરકામ કે ખેતીકામ કરવું ગમતું ન હતું જેથી ગુસ્સામાં આવીને તેણે ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ રાધા પાર્ક 2 માં રહેતા પ્રિન્સ અમિતભાઈ પરમાર (18)એ પોતે પોતાના ઘરની અંદર કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવ અંગેની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News