સ્ટાફની સતર્કતા: મોરબીની સબજેલમાં બહારથી ઘા કરવામાં આવેલ પોટલાને ચેક કરતાં મોબાઈલ નીકળ્યો ! મોરબી પરા બજાર બેંકની પાસે યુવાનને મારમારીને લૂંટી લેવાયો, ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં મોરબીની સબ જેલમાં રાખવામાં આવેલ કાચા કામનો કેદી શેમ્પૂ પી જતાં રાજકોટ સારવારમાં વાંકાનેરમાં ભાજપનું સંગઠ્ઠન મજબુત બનશે,જિલ્લા પ્રભારીએ શુભેચ્છા મુલાકાત મોરબીના બેલા ગામ નજીકથી યુવાનનું અપહરણ કરીને 37 હજારના મુદામાલની લૂંટ કરવાના ગુનામાં 4 આરોપીની ધરપકડ હળવદના સરંભડા ગામનો બનાવ: મોબાઇલમાં રિલ્સ જોતા યુવાનને માતાએ ઠપકો આપતા અંતિમ પગલું ભર્યું મોરબી નજીક સફાઈ કામ કરતી મહિલાને કાર ચાલકે હડફેટે લેતા કમરમાં ફ્રેકચર-ગુપ્ત ભાગે ઇજા મોરબીમાં ગોલ્ડ લોન લેવા માટે કર્મચારીને સોનાના દાગીના આપનારા યુવાન સાથે 7.50 લાખની છેતરપિંડી-વિશ્વાસઘાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના વકીલોનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાશે


SHARE













મોરબી જિલ્લાના વકીલોનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાશે

મોરબી જિલ્લાના વકીલોનું સ્નેહમિલન તથા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આગામી તા. 31/01/2026 ને શનિવારના રોજ સાંજે 6:30 કલાકે ટંકારા તાલુકાનાં લજાઈ ગામ પાસે આવેલ ક્લબ 36 ખાતે રાખવામા આવેલ છે

મોરબી જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ સી. જાની દ્વારા જિલ્લાના વકીલોનું સ્નેહમિલન તથા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કાયદાકીય ક્ષેત્રના અગ્રણીઓ તેમજ મોરબી જિલ્લા વકીલ મંડળના પ્રમુખ ડી.આર.અગેચાણીયા તથા તેમની સમગ્ર ટીમનું સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત મોરબી જિલ્લાના વરિષ્ઠ (સીનીયર) વકીલો તેમજ વર્ષ 2016-17 પહેલાના સમય ગાળામાં વિવિધ તાલુકા બારના પ્રમુખ તરીકે સેવા આપનારા પૂર્વ હોદેદારોનું વિશેષ સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લાના તમામ વકીલો અને પત્રકારોને આમંત્રિત કરવામાં આવેલ છે.




Latest News