મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબીમાં પડતર માંગણીઓને લઈને બેંકના કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર-વિરોધ પ્રદર્શન


SHARE













મોરબીમાં પડતર માંગણીઓને લઈને બેંકના કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર-વિરોધ પ્રદર્શન

મોરબીમાં રવાપર રોડે આવેલ બેંક ઓફ બરોડાની શાખા ખાતે બેંકના કર્મચારીઓ દ્વારા યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના રાષ્ટ્રવ્યાપી આહવાનને પગલે પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુય અને પાંચ દિવસના બેંકિંગની પડતર માંગને લઈને કર્મચારીઓએ સરકારની સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.
 
આ તકે યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના મોરબી યુનિટના કન્વીનર અને આઈએનબીઓસી ગુજરાત સ્ટેટના પ્રમુખ મહેન્દ્ર પોપટે કહ્યું હતું કે, વર્ષ 2015 માં સરકારે બીજા અને ચોથા શનિવારની રજા આપી ત્યારે વચન આપ્યું હતું કે નજીકના ભવિષ્યમાં તમામ શનિવાર રજા જાહેર કરાશે. અને વર્ષ 2024 માં ઇન્ડિયન બેંક્સ એસો. પણ આ માંગ સાથે સહમત થયું હોવા છતાં સરકાર હજુ સુધી કોઈ નક્કર પગલાં ભરવામાં આવેલ નથી અને સરકાર તમામ સરકારી યોજનાઓનું ભારણ બેંકર્સ પર નાખે છે, પરંતુ કર્મચારીઓના હિતના નિર્ણયો લેવામાં વિલંબ કરી રહી છે. વધુમાં જણાવ્યુ હતું કે, આરબીઆઇ, સરકારી કચેરીઓ, ઇન્સ્યોરન્સ સેક્ટર અને મ્યુચ્યુઅલ ફંડ હાઉસમાં પાંચ દિવસનું કામકાજ ચાલે છે ત્યારે બેંકો સાથે અન્યાય કેમ ? જો સરકાર ટૂંક સમયમાં આ અંગે યોગ્ય જાહેરાત નહીં કરે તો આગામી દિવસોમાં આ આંદોલન કરવાની ચીમકી કર્મચારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.






Latest News