સિલેક્શન નહીં ઇલેક્શન નિશ્ચિત: મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝનના વર્તમાન પ્રમુખ બનવા માટે 3 ઉમેદવારો મેદાનમાં મોરબીમાં ઇમ્પેક્ટ ફીના કાયદા હેઠળ ૧૨૪ બાંધકામો રેગ્યુલરાઇઝ કરાયા: ૫૦ બાંધકામોની અરજી મંજૂર મોરબીમાં સ્કૂલ બસના ચાલકે બાઇકને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતના બનાવમાં ૯.૩૩ લાખનું વળતર વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા આદેશ મોરબીમાં યુવાનની હત્યા કરીને પુરવાનો નાશ કરવા લાશને સળગાવી દેવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ વાંકાનેરના ભેરડા નજીક બેલા પથ્થરની ખાણની ઓરડીમાંથી કોપર વાયર સહિત 1.94 લાખના મુદામાલની ચોરીના ગુનામાં ચાર આરોપી પકડાયા મોરબીની સબ જેલમાં મોબાઈલ સહિત પ્રતિબંધિત વસ્તુ ઘુસાડવાના મામલે અજાણ્યા કેદી સહિત તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધાયો હળવદના ગોલાસણ ગામ નજીક ટ્રેક્ટરનો ઓવરટેક કરવા જતા સમયે ડબલ સવારી બાઇક સ્લીપ થતા પાછળ બેઠેલો યુવાન નીચે પટકાતા ટ્રોલીનું ટાયર ફરી જવાથી યુવાનનું મોત મોરબીમાં માવતરના ઘરે રહેતી પરણીતાને પતિ સહિતના છ સાસરિયાંઓ કરિયાવર બાબતે ત્રાસ
Breaking news
Morbi Today

મોરબીની આયુષ હોસ્પિટલમાં 90 વર્ષના દર્દીની સફળ સારવાર કરીને નવજીવન આપ્યું


SHARE













મોરબીની આયુષ હોસ્પિટલમાં 90 વર્ષના દર્દીની સફળ સારવાર કરીને નવજીવન આપ્યું

મોરબીની આયુષ હોસ્પિટલના ક્રીટિકલ કેર સ્પેશ્યાલિસ્ટ ડૉ. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 90 વર્ષના વયોવૃધ્ધ દર્દીને સારવાર આપીને અત્યંત ગંભીર બિમારીમાંથી બહાર લાવી નવજીવન અપાયુ છે

ગત 15 જાન્યુઆરી, 2026 ના રોજ એક 90 વર્ષના દર્દી મોરબીની આયુષ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં અર્ધ બેભાન હાલતમાં આવ્યા હતા જ્યારે દર્દીને લઈને આવ્યા હતા ત્યારે તેમનુ ઓકિસજન લેવલ માત્ર 68 ટકા હતુ તેમજ શ્વસનક્રિયા પણ ખૂબજ ગંભીર જણાતા તેમને તાત્કાલીક વેન્ટીલેટર પર મૂકવામાં આવ્યા હતા જો કે, ડૉ. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વધુ તપાસ કરતા સામે આવ્યું હતું કે, તેમના  ફેફસામાં અતિશય ચેપ ફેલાયેલો છે, ફેફસા સાવ નબળા પડી ગયા છે, જીવનનુ પણ જોખમ હોય છે અને હૃદયના ધબકારા અતિશય અનિયમિત થઇ ગયા છે, બીપી પણ ખૂબ ઓછુ હોય બીપી વધારવાના ઇન્જેકશનનો ખૂબ વધારે ડોઝ આપવો પડયો હતો અને આમ 90 વર્ષની ઉંમર દર્દી હોવા છતાં ગંભીર પરિસ્થિતિ હોય ડૉ. સત્યજીતસિંહ જાડેજાએ તેઓનુ સચોટ નિદાન કરીને સફળતા પૂર્વક સારવાર આપી હતી જેથી માત્ર એક અઠવાડિયામાં દર્દીને હોસ્પિટલમાંથી રજા કરવામાં આવી છે અને દર્દિ તેમજ તેમના સગા દ્વારા ડો, જાડેજા અને આયુષ હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો. આમ આયુષ્ય હોસ્પિટલમા ડૉ. સત્યજીતસિંહ જાડેજાના નેતૃત્વમાં સતત સફળતા પૂર્વક સારવાર કરવામાં આવી રહી હોય ઘણા દર્દીઓને ગંભીર બીમારીમાંથી મુકિત મળી છે અને નવજીવન મળ્યું છે.




Latest News