સિલેક્શન નહીં ઇલેક્શન નિશ્ચિત: મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝનના વર્તમાન પ્રમુખ બનવા માટે 3 ઉમેદવારો મેદાનમાં મોરબીમાં ઇમ્પેક્ટ ફીના કાયદા હેઠળ ૧૨૪ બાંધકામો રેગ્યુલરાઇઝ કરાયા: ૫૦ બાંધકામોની અરજી મંજૂર મોરબીમાં સ્કૂલ બસના ચાલકે બાઇકને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતના બનાવમાં ૯.૩૩ લાખનું વળતર વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા આદેશ મોરબીમાં યુવાનની હત્યા કરીને પુરવાનો નાશ કરવા લાશને સળગાવી દેવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ વાંકાનેરના ભેરડા નજીક બેલા પથ્થરની ખાણની ઓરડીમાંથી કોપર વાયર સહિત 1.94 લાખના મુદામાલની ચોરીના ગુનામાં ચાર આરોપી પકડાયા મોરબીની સબ જેલમાં મોબાઈલ સહિત પ્રતિબંધિત વસ્તુ ઘુસાડવાના મામલે અજાણ્યા કેદી સહિત તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધાયો હળવદના ગોલાસણ ગામ નજીક ટ્રેક્ટરનો ઓવરટેક કરવા જતા સમયે ડબલ સવારી બાઇક સ્લીપ થતા પાછળ બેઠેલો યુવાન નીચે પટકાતા ટ્રોલીનું ટાયર ફરી જવાથી યુવાનનું મોત મોરબીમાં માવતરના ઘરે રહેતી પરણીતાને પતિ સહિતના છ સાસરિયાંઓ કરિયાવર બાબતે ત્રાસ
Breaking news
Morbi Today

ગુજરાતથી કેરળ સુધી ૬,૫૦૦ કિમીની સાયકલ યાત્રા ૩૦ જાન્યુઆરીએ મોરબી જિલ્લાના સરવડ ગામે પહોંચશે


SHARE













ગુજરાતથી કેરળ સુધી ૬,૫૦૦ કિમીની સાયકલ યાત્રા ૩૦ જાન્યુઆરીએ મોરબી જિલ્લાના સરવડ ગામે પહોંચશે

કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) દ્વારા દેશની દરિયાઈ સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવા અને રાષ્ટ્રીય એકતા મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે “CISF વંદે માતરમ્ કોસ્ટલ સાયક્લોથોન-2026” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ૨૮ જાન્યુઆરીથી શરૂ થયેલી આ સાયકલ યાત્રા ૨૨ ફેબ્રુઆરી સુધી એટલે કે ૨૫ દિવસ દરમિયાન ભારતની અંદાજે ૬,૫૦૦ કિલોમીટર લાંબી મેઈનલેન્ડ કોસ્ટલાઇન પર ભ્રમણ કરશે.

ઐતિહાસિક સાયક્લોથોનની પશ્ચિમ દરિયાકાંઠાની ટીમનું પ્રસ્થાન ગુજરાતના કચ્છ સ્થિત ઐતિહાસિક લખપત કિલ્લાથી કરવામાં આવ્યું છે, ૩૦ જાન્યુઆરીના રોજ મોરબી જિલ્લામાં આ સાયકલ યાત્રાનું આગમન થતા જિલ્લા વહીવટી અને  રાજકોટ CISF યુનિટ તંત્ર દ્વારા તેમનું સ્વાગત અભિવાદન કરવામાં આવશે. મોરબી જિલ્લામાં માળિયા તાલુકાના સરવડ ગામ ખાતે સાંજે ૦૬:૦૦ થી ૦૮:૧૫ દરમિયાન વિશેષ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ દેશવ્યાપી અભિયાનના ભાગરૂપે CISF રાજકોટ યુનિટને મોરબી જિલ્લાના માળિયાથી જોડિયા સુધીના દરિયાકાંઠાના પટ્ટામાં સાયક્લોથોન પ્રવૃત્તિઓનું સંચાલન અને સંકલન કરવાની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. રાજકોટ યુનિટ દ્વારા સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને માછીમારો, યુવાનો અને સ્થાનિક સમુદાયો સાથે સંવાદ કરી દરિયાઈ સુરક્ષા અંગે જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ સાયક્લોથોન 'વંદે માતરમ્' ના ૧૫૦ વર્ષ નિમિત્તે દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવના પ્રતીક તરીકે સમર્પિત કરવામાં આવી છે.   




Latest News