મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝન પ્રમુખ માટે કાલે મતદાન, 3 ઉમેદવાર મેદાનમાં: સાંજે ફેંસલો મોરબીમાં મહિલાઓના સર્વાંગી વિકાસ માટે 21મી માર્ચે વુમન્સ લીડરશીપ કોન્કલેવ મોરબીમાં તોતિંગ વૃક્ષ વીજ પોલ ઉપર તૂટી પડતાં રસ્તો બંધ મોરબીના પાનેલી ગામે ભારે પવનના લીધે ઝાડ ઉપરથી પપૈયા ખરી પડ્યા ટંકારા અને મોરબી વિસ્તારમાં વિદેશી દારૂની 4 રેડમાં 112 બોટલ દારૂ ઝડપાયો ટંકારાના છતર ગામે માવતરના ઘરે રહેતી પરણીતાને કરિયાવર બાબતે હેરાન કરતાં પતિ સહિત 5 સામે ફરિયાદ વાંકાનેરના લિંબાળા ગામે ઘરમાં જુગારની રેડ કરતાં 1.53 લાખના મુદામાલ સાથે 7 પકડાયા: એક ફરાર મોરબીમાં ધક્કાવાળી મંદિર નજીક એસટી બસના ચાલકે હડફેટે લેતા આધેડને માથામાં ઇજા અને પગમાં ફેક્ચર
Breaking news
Morbi Today

મોરબીમાં સંત શિરોમણી શ્રી રોહીદાસ બાપુની ૬૪૯મી જન્મજયંતી ઉજવણી કરાઈ


SHARE













મોરબીમાં સંત શિરોમણી શ્રી રોહીદાસ બાપુની ૬૪૯મી જન્મજયંતી ઉજવણી કરાઈ

મોરબી શહેરમાં સંત શિરોમણી શ્રી રોહીદાસ બાપુની ૬૪૯મી જન્મજયંતી નિમિત્તે વિવિધ વિસ્તારોના રહીશો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોહીદાસ પરા, આંબેડકર કોલોની, ગુજરાત સોસાયટી, ભીમરાવ નગર, વિજયનગર તથા શાંતિવન સોસાયટીના રહેવાસીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ શોભાયાત્રાનું પ્રસ્થાપન વીસી ફાટક ખાતેથી કરવામાં આવ્યું હતું, જે મોરબી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતી રોહીદાસ પરામાં આવેલ સંત રોહીદાસ બાપુના મંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ શોભાયાત્રા પૂર્ણ થયા બાદ મંદિર પ્રાંગણમાં મહા આરતી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લઈ સંત રોહીદાસ બાપુના દર્શન કર્યા હતા. આ કાર્યક્રમના અંતે વિસ્તારના રહીશો દ્વારા બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.




Latest News