મોરબીમાં આવેલ માધાપરવાડી કન્યા શાળામાં ફ્રિ નિદાન-સારવાર કેમ્પ યોજાયો મોરબીમાં ઠંડીમાં 36 ઘર વિહોણા લોકોને આશ્રયસ્થાન પૂરું પડતી મનપા મોરબીના મુમુક્ષુ વિધિબેને 28 વર્ષે જૈન દીક્ષા લીધી: લીંબડીમાં સંયમનો માર્ગ અપનાવી આત્મકલ્યાણનો સંદેશ આપ્યો પ્રેરણાદાઈ નિર્ણય: મોરબીમાં વૃદ્ધનું રાજકોટ ખાતે સારવારમાં બ્રેનડેડ થતાં બે કિડની-લીવરનું આંગદાન કરાયું મોરબી જિલ્લામાં ખાનગી વીજ કંપની દ્વારા વળતરની સ્પષ્ટતા વગર થતું કામ તાત્કાલિક રોકવાની ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની માંગ રવિ સીઝન ૨૦૨૬-૨૭: રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી રૂ.૨૫૮૫ ના ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરશે વિશ્વ કેન્સર દિવસ: કેન્સર સામે રક્ષણ મેળવવા યોગ, આયુર્વેદ અને સાત્વિક આહારનો સમન્વય જરૂરી: ૪ ફેબ્રુઆરીએ સવારે ૭ કલાકે ડિજિટલ માધ્યમથી જોડાવા મોરબીવાસીઓને આહવાન મોરબીના ટંકારા ખાતે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની ખાનગી વીજ કંપનીઓની દાદાગીરી સામે સભા: ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાને પોતાના જ ઘરમાં અણધાર્યું પગલું ભર્યું: વાંકાનેરના પલાસડી ગામે ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા પરણીતાનું મોત


SHARE











મોરબીમાં યુવાને પોતાના જ ઘરમાં અણધાર્યું પગલું ભર્યું: વાંકાનેરના પલાસડી ગામે ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા પરણીતાનું મોત

મોરબીની ધર્મ સૃષ્ટિ સોસાયટીમાં રહેતા યુવાને પોતાના જ ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જ્યારે વાંકાનેર તાલુકાના પલાસડી ગામે રહેતી મહિલા પાણીની ઇલેક્ટ્રીક મોટર ચાલુ કરવા જતા તેને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું આ બંને બનાવની સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ધર્મસૃષ્ટિ સોસાયટીમાં રહેતા નિકેતભાઈ ત્રીકમજીભાઈ ડાભી (43) નામના યુવાને પોતે પોતાના ઘરમાં હતો ત્યારે ત્યાં પંખા સાથે ટુવાલ બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને આ યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં આગળની તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એસ.કે.બાલાસરા ચલાવી રહ્યા છે

વાંકાનેર તાલુકાના પલાસડી ગામે રહેતા પાર્વતીબેન નરેન્દ્રભાઈ પરમાર (37) નામની મહિલા પોતે પોતાના ઘરે હતી ત્યારે ઈલેક્ટ્રીક મોટર ચાલુ કરવા જતા તેને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને આ મહિલાનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News