માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

હિન્દુ ધર્મજાગૃતિનો પ્રારંભ: મોરબીમાં પંચાસર રોડ ઉપર આવેલ હોલમાં હિન્દૂ સંમેલન યોજાયું


SHARE











હિન્દુ ધર્મજાગૃતિનો પ્રારંભ: મોરબીમાં પંચાસર રોડ ઉપર આવેલ હોલમાં હિન્દૂ સંમેલન યોજાયું

મોરબી શહેરના ચિત્રકૂટ ઉપનગરની રાજનગર વસ્તીમાં આવેલા પંચાસર રોડ વિસ્તારમાં તાજેતરમાં હિન્દૂ સંમેલનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજે 1700 જેટલા હિન્દૂ ભાઈઓ અને બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ધાર્મિક અને રાષ્ટ્રભાવનાનો માહોલ સર્જાયો હતો.

આ હિન્દૂ સંમેલનનો મુખ્ય હેતુ જનમાનસમાં રાષ્ટ્રભાવના પ્રબળ બનાવવાનો અને હિન્દુત્વ જાગૃત કરવાનો હતો. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે નકલંક ધામ બગથળાના મહંત પૂજ્ય દામજી ભગત ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાની આગવી વક્તૃત્વ શૈલીમાં ધાર્મિક જાગૃતિ, સંસ્કૃતિ સંરક્ષણ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો હતો, જેને શ્રોતાઓએ ખૂબ જ ઉષ્માભેર સ્વીકાર્યો હતો. તે ઉપરાંત વિજયભાઈ રાવલ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે ચાલી રહેલા “પંચ પરિવર્તન” વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટેના મુદ્દાઓ રજૂ કરાયા હતા.

આ ભવ્ય સંમેલનને સફળ બનાવવા માટે આસપાસના વિસ્તારોમાંથી ઉપસ્થિત સમગ્ર હિન્દૂ સમાજ તથા હિન્દૂ સંમેલન સમિતિ, પંચાસર રોડ – મોરબી ના કાર્યકરોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. આ કાર્યક્રમનું સંચાલન પોતાની આગવી અને પ્રભાવશાળી ભાષા શૈલીમાં જીનિયસ એકેડમીના સુભાષભાઈ ઘેટીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ રીતે પંચાસર રોડ પર યોજાયેલ હિન્દૂ સંમેલન ધાર્મિક જાગૃતિ, સામાજિક એકતા અને રાષ્ટ્રીય ચેતનાનો સશક્ત સંદેશ આપતું યાદગાર બની રહ્યું હતું.






Latest News