ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા ગામ પાસે અજાણ્યા વાહનની હડફેટે ચડી જતાં રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત


SHARE







મોરબીના જાંબુડીયા ગામ પાસે અજાણ્યા વાહનની હડફેટે ચડી જતાં રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામના દશામાના ગેટ પાસેથી પગપાળા ચાલીને જતાં યુવાનનું અજાણ્યા વાહને અડફેટે લીધો હતો જેથી કરીને ઇજા પામેલા યુવાનનું મૃત્યુ નિપજયું છે હાલમાં મૃતક યુવાનના કૌટુંબીક ભાઈની ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે બિહારનો઼ શિવાંગ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના જાંબુડિયા ગામે આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા રાજુપ્રસાદ નારાયણપ્રસાદ કુશ્વાહ (૩૭) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓનો કૌટુંબીક ભાઈ અશોકપ્રશાદ ક્રિષ્ણપ્રશાદ કુશવાહ (૨૩) જાંબુડીયા ગામમાં દશામાના ગેટ પાસેથી નેશનલ હાઈવે રોડ ઉપર પગપાળા ચાલીને રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહનના ચાલકે તેને હડફેટે લેતા ઇજા થઇ હતી જેથી કરીને ઈજા થવાના કારણે તેનું મોત નીપજયું હતું હાલમાં મૃતક યુવાનના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News