મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

હળવદમાં ઘેરથી બાઈક લઈને નીકળી ગયેલા યુવાને નર્મદાની કેનાલમાં ઝંપલાવીને કર્યો આપઘાત


SHARE







હળવદમાં ઘેરથી બાઈક લઈને નીકળી ગયેલા યુવાને નર્મદાની કેનાલમાં ઝંપલાવીને કર્યો આપઘાત

હળવદમાં આવેલ શ્રીજીનગર સોસાયટીમાં રહેતો યુવાન કોઈ કારણોસર પોતે પોતાના ઘરેથી બાઈક લઈને નીકળી ગયો હતો અને ત્યારબાદ માનસર ગામ પાસે નર્મદાની કેનાલના સાઇફન પાસે પોતાનો મોબાઈલ તથા બાઇક મૂકીને કેનાલમાં ઝંપલાવ્યું હતું જેથી પાણીમાં ડૂબી જવાના લીધે તે યુવાનનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે લઈ ગયા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી

મૂળ રણજીતગઢ ગામના રહેવાસી અને હાલમાં હળવદમાં સાંદિપની સ્કૂલની પાછળના ભાગમાં આવેલ શ્રીજી નગર સોસાયટીમાં રહેતા મનસુખભાઈ સોનાગ્રાનો 18 વર્ષનો દીકરો સુજલ ગત તા. 14/2 ના રોજ સાંજના ચારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી પોતાનું બાઈક લઈને નીકળી ગયો હતો અને ત્યારબાદ હળવદના માનસર પાસે નર્મદાની કેનાલના સાઇફન નજીક તેણે પોતાનું બાઈક અને મોબાઈલ મૂકી દીધો હતો અને ત્યારબાદ નર્મદાના કેનાલના પાણીમાં તેને ઝંપલાવ્યું હતું અને પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું હતું આ બનાવની ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયરની ટીમે નર્મદાની કેનાલમાંથી યુવાનના મૃતદેને ગઈકાલે મોડી રાત્રે સવા આઠેક વાગ્યાના અરસામાં પાણીમાંથી બહાર કાઢ્યો હતો અને ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની મૃતક યુવાનના પિતા મનસુખભાઈ નાનજીભાઈ સોનાગ્રા (42) રહે. શ્રીજી સોસાયટી હળવદ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક સ્લીપ

મોરબીના લાલપર ગામે રહેતા નિલેશભાઈ જયંતીભાઈ નામના વ્યક્તિ જોધપર નદી ગામ પાસેથી લાલપર જતા હતા ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ વ્યક્તિને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના આંદરણા ગામે રહેતા ગુલાબગીરી દયાલગીરી ગોસ્વામી (55) નામના આધેડ આંદરણા ગામ પાસેથી બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલ આધેડને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News