મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના બહાદુરગઢ પાસે કારખાનામાં આગ, લાખોનું નુકશાન


SHARE





મોરબીના બહાદુરગઢ પાસે કારખાનામાં આગ, લાખોનું નુકશાન

મોરબીના રવાપર ગામે એસપી રોડ ખાતે રહેતા આશીષભાઈ બેચરભાઈ ભટાસણા (37) એ તાલુકા પોલીસમાં જાણ કરતા જણાવ્યું હતું કે તાલુકાના બહાદુરગઢ ગામની પાસે આવેલ કેરોલી જીપસીટ કંપનીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો.

 આ બનાવમાં યુનીટમાં મશીનરી સળગી ગઈ હતી. તેમજ યુનીટમાં થર્મિક બોઈલ મીલ તથા અન્ય મશીનરી તથા રો મટીરીયલમાં નુકશાની થતા અંદાજે નેવુ લાખનું નુકશાન પહોંચેલ છે. બનાવની નોંધ કરી તાલુકા પોલીસ મથકના વિજયભાઈ મિયાત્રા દ્વારા આગના બનાવની આગળની તપાસ કરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં
 મોરબીના વિસીપરા મામાદેવ મંદિરની પાસે બે ભાઈઓ ઉપર સાતેક લોકોએ ધરીયા તેમજ ઈટુ વડે હુમલો કરતા બંનેને સારવારમાં ખસેડાયા હતા. મોરબી વીસીપરા ધોળેશ્ર્વર સમશાન પાસે જુની મહાકાળી ઓઈલ મીલ પાસે રહેતા નિલેશ જીવાભાઈ કગથરા (ઉ.35) અને કિશોર જીવાભાઈ કગથરા (37) ઉપર વીસીપરા મામાદેવના મંદિર પાસે સાતેક લોકોએ ધરીયા વડે હુમલો કરેલ પણ ધારીયુ લાગેલ નહી બાદ છુટા પથ્થરોના ઘા તથા ઈટુના ઘા કર્યા હતા. જેમાં સામે વાળાઓમાં રૂત્વીક સાલાણી, કૃણાલ તથા સાહિલ ચાલાણી તથા અન્ય અજાણ્યા લોકોએ હુમલો કર્યો હોવાનું ફરીયાદમાં જણાવાયેલ છે જેથી બીટ વિસ્તારના જમાદાર બી.કે. દેથાએ નોંધ કરીને આગળની તપાસ શરૂ કરેલ છે.

દવા પી જતા સારવારમાં
 મોરબી વીસીપરામાં આવેલા લાકડાના ડેલાની પાસે રહેતા સલીમભાઈ હબીબભાઈ રાઠોડ નામના 63 વર્ષના વૃધ્ધ કોઈ કારણોસર ટોલા મારવાની દવા પી લેતા સારવાર માટે ખસેડાયા હતા. જેથી બીટ જમાદાર બી.કે. દેથાએ તપાસ કરી હતી. જયારે મોરબી સામાકાંઠે ડી માર્ટ પાસે વિરલ રાજેશભાઈ પલાણી (ઉ.15) રહે. પ્રકૃતિ સોસાયટી મહેન્દ્રનગર હળવદ રોડ મોરબી-2 ઉપર દસેક લોકોએ કોઈ વાતે ઝઘડો કર્યા બાદ હુમલો કર્યો હતો. જેથી વિરલભાઈને અત્રે સામાકાંઠેની ખાનગી હોસ્પીટલે સારવાર માટે ખસેડાયેલ હોય બી ડીવીઝન પોલીસ મથકના એ.એમ. ઝાપડીયાએ આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માત
 મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસે ગજાનંદ પાર્કમાં આવેલ નિલકંઠ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવિણભાઈ મોતીભાઈ છનીયારા (43) નામનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે રાધે હોટલના વળાંક પાસે બ્રેક મારતા વાહન સ્લીપ થઈ જતા ફ્રેચકર જેવી ઈજાઓ થતા અહીંની શિવમ હોસ્પીટલે સારવાર માટે લઈ જવાયો હતો.  તેમજ મહેન્દ્રનગર ગામે આવેલ પ્રભુકૃપા ટાઉનશીપમાં રહેતા જશુબેન પ્રભુભાઈ ચાડમીયા નામના 74 વર્ષના વૃધ્ધા પોતાના એપાર્ટમેન્ટ નજીક બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના બનાવમાં ઈજા પામ્યા હોય અત્રેની ખાનગી હોસ્પીટલે સારવાર માટે ખસેડાયા હતા. જેથી બીટના મોમજીભાઈ ચૌહાણે નોંધ કરી તપાસ કરી હતી.




Latest News