મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં અવની ચોકડી પાસે રહેતા વૃદ્ધાએ બીમારીઓથી કંટાળીને જાત જલાવી લેતા સારવાર દરમ્યાન મોત


SHARE





મોરબીમાં અવની ચોકડી પાસે રહેતા વૃદ્ધાએ બીમારીઓથી કંટાળીને જાત જલાવી લેતા સારવાર દરમ્યાન મોત

મોરબીમાં અવની ચોકડી પાસે આવેલ શિવપાર્ક સોસાયટીમાં રહેતા વૃદ્ધાને બીપી અને માનસિક સહિતની બીમારીઓ હતી જે બીમારીઓથી કંટાળીને પોતે પોતાના ઘરની અંદર પોતાની જાત જલાવી લીધી હતી જેથી ગંભીર રીતે દાઝી ગયેલા વૃદ્ધાને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતક વૃદ્ધાના દીકરાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ કૃષ્ણાનગર ગામના રહેવાસી અને હાલમાં મોરબીમાં અવની ચોકડી પાસે આવેલ શિવ પાર્ક સોસાયટીમાં રહેતા ગોદાવરીબેન મોહનભાઈ પનારા (75)એ ગત તા. 22/2 ના રોજ સવારના 6:00 વાગ્યા પહેલા પોતે પોતાની જાતે પોતાના શરીર ઉપર આગ ચાપી લીધી હતી જેથી ગંભીર રીતે દાઝ ગયેલા વૃદ્ધાને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે ગંભીર રીતે દાજી ગયેલ વૃદ્ધાનું તા. 25/2 ના રોજ ચાલુ દરમિયાન મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતક વૃદ્ધાના દીકરા જીતેન્દ્રભાઈ મોહનભાઈ પનારા (46) રહે. શિવપાર્ક સોસાયટી મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ છે અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે છેલ્લા બે થી ત્રણ વર્ષથી મૃતક વૃદ્ધાને બીપીની અને માનસિક બીમારી હતી તેમજ અન્ય બીમારીઓના કારણે તેઓને શરીરમાં ધ્રુજારી આવતી હતી આમ બીમારીઓથી કંટાળી જઈને પોતે પોતાની જાત જલાવી લીધી હતી અને વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજયું છે તેવું તેના પરિવારજનો પાસેથી જાણવા મળ્યું છે જેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News