મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સત્યેશ્વર મહાદેવ મંદિરે બરફીલા બાબા અને ૧૨ જ્યોતિર્લિંગ દર્શનનું કરાયું આયોજન ટંકારાના ખીજડીયા ગામે માનતા પૂરી કરવા ગયેલા યુવાનને કૌટુંબિક જમાઈ અને તેના ભાઈએ આપી જાનથી મારી નાખવાની ધમકી શેર બજારમાં રોકાણ કરનારાઓ સાવધાન: મોરબીના યુવાન સાથે 4 શખ્સોએ કરી 86.25 લાખની ઠગાઇ મોરબીમાં ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત 6 શખ્સ 88,400 ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન


SHARE





મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન

મોરબી ઔદ્યોગિક નગરી તરીકે સુખ્યાત છે, સાથે સાથે કલા-સાહિત્ય ક્ષેત્રે પણ એટલી જ સમૃદ્ધ છે. આવા સાહિત્યકારોમાં સર્જક, વિવેચક, સંશોધક અને સંપાદક તરીકે ડૉ. ભાવેશ જેતપરિયાનું નામ સુવિદિત છે. તેઓએ 35 વર્ષ સુધી અધ્યાપક તરીકે ઉત્તમ સેવા આપી છે અને હાલ નિવૃત્તિ બાદ પણ સતત સાહિત્ય સર્જનમાં પ્રવૃત્ત છે.

મોરબીમાં રહેતા ડૉ. ભાવેશ જેતપરિયાએ રવિ-ભાણ સંપ્રદાયના સંતકવિ જીવા ભગતની હસ્તપ્રતોમાં રહેલા સંતસાહિત્ય પર સંશોધન કરી પીએચ.ડી.ની પદવી મેળવેલ છે, જે ગુજરાતી સંતસાહિત્યમાં બહુમૂલ્ય પ્રદાન છે. આ વર્ષે તેમના બાર ગ્રંથોનું પ્રકાશન થયું છે, તેમાં 'જીવાભગતનાં ભજનો' - ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા પ્રકાશિત, જેનું વિમોચન મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. 'રંગ છે લખનજી!' નવલકથા - પ્રવીણ પ્રકાશન, રાજકોટ દ્વારા પ્રકાશિત કરાયું છે. સંશોધન અને સંપાદનલક્ષી નવ ગ્રંથો વિજ્યા ગ્રાફિક્સ, સુરત દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે.

આમ, પ્રકાશિત ગ્રંથોમાં સંશોધન, સંપાદન, નવલકથા અને ચરિત્રનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ દ્વારા તેમના સંશોધન-સંપાદનના વધુ ચાર ગ્રંથો, ત્રણ વાર્તાસંગ્રહો અને કાવ્યાસ્વાદના બે ગ્રંથો આવનાર સમયમાં પ્રકાશિત થનાર છે, જે મોરબી જિલ્લાના સાહિત્યજગત માટે ગૌરવશાળી ઘટના છે. ડો. ભાવેશ જેતપરિયા અધ્યાપનની સાથે જાહેર કાર્યક્રમો, સત્સંગ-કથાઓમાં સભા સંચાલક તરીકે, દોઢ દાયકા સુધી ચૂંટણી તાલીમ અધિકારી તરીકે અને અનેકવિધ સામાજિક-શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહ્યા છે. 35 વર્ષના અધ્યાપનકાળ દરમિયાન વિદ્યાર્થીઓના ઘડતર માટે તેમણે સતત પુરુષાર્થ કર્યો છે.




Latest News