અજરામર સંપ્રદાયના ગાદીપતિ આચાર્ય પરમ પૂજય ભાવચંદ્ર મુનિ મહારાજ સાહેબ મોરબી પધાર્યા હળવદના રાણેકપર ગામનો બનાવ: વાડીએ મજૂરને લાફા ઝીકિને ગાડી ચડાવી દઈ જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આર્યગ્રામ સોસાયટીમાંથી રસ્તો નીકળતો હોવા છતાં સનાતન ગ્રામ સોસાયટીના લોકોને જવા દેવાની ના કહેતા બખેડો મોરબીમાં મકાન અને દુકાનમાં જુદીજુદી જગ્યાએ આગ લાગતાં ફાયરની ટિમ દોડતી વાંકાનેર: આંણદપર-નવાગામ ખાતે 4.50 કરોડનાં ખર્ચે માઇનોર બ્રિજના કામનું ખાતમુહૂર્ત કરતાં  ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીમાં નજીવી વાતમાં વેપારી અને તેના ભાઈ ઉપર હુમલો, શોરૂમમાં રાખેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર તોડી નાખ્યું: પિસ્તોલ બતાવીને જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વ્યાજે લીધેલ 65 હજાર સામે 50 હજાર વ્યાજ આપ્યું તો પણ વ્યાજ-મુદલની પઠાણી ઉઘરાણી: બે સામે ફરિયાદ વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ રોણકી ગામે 21 કરોડનાં ખર્ચે બનનારા પાણીના સંપ- પાઈપલાઈનના કામનું કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

હળવદના નવા વેગડવાવ ગામે ખેતરમાં ઘઉં કાપવાના કટર મશીન ઉપર ચડેલા યુવાનનું ઇલેક્ટ્રિક શોટ લાગતા મોત


SHARE













હળવદના નવા વેગડવાવ ગામે ખેતરમાં ઘઉં કાપવાના કટર મશીન ઉપર ચડેલા યુવાનનું ઇલેક્ટ્રિક શોટ લાગતા મોત

હળવદના નવા વેગડવાવ ગામે ખેતરમાં ઘઉંના કટર મશીન ઉપર પાછળના ભાગેથી ચડેલ યુવાન કોઈપણ કારણોસર ઉપરથી પસાર થઈ રહેલ ઇલેક્ટ્રિક વીજ લાઈનના તારને અડી ગયો હતો જેથી તેને ઇલેક્ટ્રીક શોટ લગતા તે યુવાનનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ પંજાબના રહેવાસી અને હાલમાં હળવદના નવા વેગડવાવ ગામની સીમમાં ખુલ્લા પ્લોટમાં રહેતા નવદિપસિંઘ બચીતરસિંઘ જાટ (20) નામનો યુવાન નવા વેગડવાવ ગામે ત્રિભોવનભાઈ જહાભાઈ સોનાગ્રાના ખેતરમાં હતો અને ઘઉં કાપવાના કટર મશીન ઉપર પાછળના ભાગથી ચડ્યો હતો ત્યારે કોઈ કારણોસર ઉપરથી પસર થતી ઈલેક્ટ્રિક વીજ લાઈનના તારને અડી જતા તે યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને યુવાનનું મોત નીપજ્યું હતું અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તરણજીતસિંઘ બલકારસિંઘ જાટ (43) રહે. મુનાવાન ગામ પંજાબ વાળાએ જાણ કરતાં પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આંબેડકર હોસ્ટેલ નજીક રહેતા નરેશભાઈ ગાંગીયા (40) નામના યુવાનને કુબેર ટોકીઝ પાસે આવેલ વિશાલ ફર્નિચર નજીક મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News