મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં આગામી દિવસોમાં તોલમાપ કચેરી શરૂ કરાશે- મંત્રી બ્રિજેશભાઈ મેરજા 


SHARE







મોરબી જિલ્લામાં આગામી દિવસોમાં તોલમાપ કચેરી શરૂ કરાશેમંત્રી બ્રિજેશભાઈ મેરજા 

મોરબી ખાતે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ઉજવણી કાર્યક્રમ યોજાયો


મોરબી ખાતે રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આયોજિત‘‘રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ’’ ઉજવણી કાર્યક્રમ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ઉજવણી કાર્યક્રમ પ્રસંગે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે ગ્રાહકો છેતરપીંડીથી બચે અને ખરીદી અંગે જાગૃતતા દાખવે એ જરૂરી છે. તેમણે વધુમાં ચીજ વસ્તુઓ ખરીદતા સમયે હંમેશા બિલ લેવાનો અવશ્ય આગ્રહ રાખવો જોઈએ તેમ વધુમાં જણાવ્યું હતું.

મંત્રીએ નવનિર્મિત મોરબી જિલ્લામાં આગામી દિવસોમાં તોલમાપ કચેરી શરૂ કરાશે જેનો લાભ મોરબી જિલ્લાના નાગરિકોને મળતો થશે તેમ વધુમાં ઉમેર્યું હતું. આ પ્રસંગે રામજીભાઈ માવાણી તેમજ રમાબેન માવાણીએ પ્રસંગોચિત પ્રવચન કરી કાર્યક્રમની રૂપરેખા આપી ઉપસ્થિતોને ગ્રાહકોના હકો બાબતે વાકેફ કર્યા હતા.  રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, અગ્રણી લાલજીભાઇ મહેતા સહિત બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા

 






Latest News