મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં આગામી દિવસોમાં તોલમાપ કચેરી શરૂ કરાશે- મંત્રી બ્રિજેશભાઈ મેરજા 


SHARE













મોરબી જિલ્લામાં આગામી દિવસોમાં તોલમાપ કચેરી શરૂ કરાશેમંત્રી બ્રિજેશભાઈ મેરજા 

મોરબી ખાતે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ઉજવણી કાર્યક્રમ યોજાયો


મોરબી ખાતે રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આયોજિત‘‘રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ’’ ઉજવણી કાર્યક્રમ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ઉજવણી કાર્યક્રમ પ્રસંગે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે ગ્રાહકો છેતરપીંડીથી બચે અને ખરીદી અંગે જાગૃતતા દાખવે એ જરૂરી છે. તેમણે વધુમાં ચીજ વસ્તુઓ ખરીદતા સમયે હંમેશા બિલ લેવાનો અવશ્ય આગ્રહ રાખવો જોઈએ તેમ વધુમાં જણાવ્યું હતું.

મંત્રીએ નવનિર્મિત મોરબી જિલ્લામાં આગામી દિવસોમાં તોલમાપ કચેરી શરૂ કરાશે જેનો લાભ મોરબી જિલ્લાના નાગરિકોને મળતો થશે તેમ વધુમાં ઉમેર્યું હતું. આ પ્રસંગે રામજીભાઈ માવાણી તેમજ રમાબેન માવાણીએ પ્રસંગોચિત પ્રવચન કરી કાર્યક્રમની રૂપરેખા આપી ઉપસ્થિતોને ગ્રાહકોના હકો બાબતે વાકેફ કર્યા હતા.  રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, અગ્રણી લાલજીભાઇ મહેતા સહિત બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા

 






Latest News