મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિરના અગ્રણીઓએ કયું જીતુભાઈ સોમાણીનુ સન્માન


SHARE













મોરબી જલારામ મંદિરના અગ્રણીઓએ કયું જીતુભાઈ સોમાણીનુ સન્માન

વાંકાનેર લોહાણા સમાજના અગ્રણી, રઘુવંશી સાવજ જીતુભાઈ સોમાણીની આગેવાનીમા સમસ્ત રઘુવંશી સમાજની આસ્થાનુ પ્રતિક સમા રામધામનુ નિર્માણ થઈ રહ્યુ છે ત્યારે મોરબી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, પોલાભાઈ ઠક્કર, હસુભાઈ પંડિત, જયંતભાઈ રાઘુરા, કીશોરભાઈ ઘેલાણી, નવીનભાઈ ઠક્કર, રમેશભાઈ બુધ્દદેવ, જગદીશભાઈ કોટક, કીર્તિભાઈ પાવાગઢી, જ્યોત્સનાબેન ઘેલાણી, ભાવનાબેન સોમૈયા, ભારતીબેન ચતવાણી, નયનાબેન મીરાણી, ચંદ્રિકા બેન કારીયા સહીતનાઓએ રામધાનની મુલાકાત લઈ રઘુવંશી સમાજના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણીનુ સાલ ઓઢાડી સન્માન કર્યુ હતુ. તેમજ રામધાનના નિર્માણમા તન-મન-ધન થી સહયોગ આપવા જણાવ્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે જીતુભાઈ સોમાણીએ રામધામનુ સ્વપ્ન સેવ્યુ હતુ જે માટે તેઓએ જ્યા સુધી રામધાનનુ નિર્માણ ન થાય ત્યા સુધી પગરખા ન પહેરવાની આકરી ટેક લીધેલ છે. તેમની જ્ઞાતિ, સમાજ તેમજ પ્રભુ શ્રી રામ પ્રત્યેની આસ્થાના પરિણામ સ્વરૂપ તાજેતરમા રામધામ માટે જગ્યા લેવામા આવી છે તેમજ રામધામના નિર્માણનુ કાર્ય પુરજોશમા શરૂ થઈ ચુક્યુ છે ત્યારે મોરબી જલારામ મંદિરના આગેવાનોએ જીતુભાઈની પ્રતિભાને આ તકે બિરદાવી હતી.






Latest News