મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિરના અગ્રણીઓએ કયું જીતુભાઈ સોમાણીનુ સન્માન


SHARE







મોરબી જલારામ મંદિરના અગ્રણીઓએ કયું જીતુભાઈ સોમાણીનુ સન્માન

વાંકાનેર લોહાણા સમાજના અગ્રણી, રઘુવંશી સાવજ જીતુભાઈ સોમાણીની આગેવાનીમા સમસ્ત રઘુવંશી સમાજની આસ્થાનુ પ્રતિક સમા રામધામનુ નિર્માણ થઈ રહ્યુ છે ત્યારે મોરબી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, પોલાભાઈ ઠક્કર, હસુભાઈ પંડિત, જયંતભાઈ રાઘુરા, કીશોરભાઈ ઘેલાણી, નવીનભાઈ ઠક્કર, રમેશભાઈ બુધ્દદેવ, જગદીશભાઈ કોટક, કીર્તિભાઈ પાવાગઢી, જ્યોત્સનાબેન ઘેલાણી, ભાવનાબેન સોમૈયા, ભારતીબેન ચતવાણી, નયનાબેન મીરાણી, ચંદ્રિકા બેન કારીયા સહીતનાઓએ રામધાનની મુલાકાત લઈ રઘુવંશી સમાજના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણીનુ સાલ ઓઢાડી સન્માન કર્યુ હતુ. તેમજ રામધાનના નિર્માણમા તન-મન-ધન થી સહયોગ આપવા જણાવ્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે જીતુભાઈ સોમાણીએ રામધામનુ સ્વપ્ન સેવ્યુ હતુ જે માટે તેઓએ જ્યા સુધી રામધાનનુ નિર્માણ ન થાય ત્યા સુધી પગરખા ન પહેરવાની આકરી ટેક લીધેલ છે. તેમની જ્ઞાતિ, સમાજ તેમજ પ્રભુ શ્રી રામ પ્રત્યેની આસ્થાના પરિણામ સ્વરૂપ તાજેતરમા રામધામ માટે જગ્યા લેવામા આવી છે તેમજ રામધામના નિર્માણનુ કાર્ય પુરજોશમા શરૂ થઈ ચુક્યુ છે ત્યારે મોરબી જલારામ મંદિરના આગેવાનોએ જીતુભાઈની પ્રતિભાને આ તકે બિરદાવી હતી.






Latest News