મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નયનભાઈ અઘારાની વરણી


SHARE





મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું થોડા દિવસો પહેલા હાર્ટ એટેકના હુમલાના લીધે નિધન થયું હતું ત્યાર બાદ મોરબી જિલ્લા કોંગ્રેસનાં ખલી પડેલા પ્રમુખ પદ માટે વરણી કરવામાં આવે તે અનિવાર્ય હતું તેવામાં આજે મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નયનભાઈ લાલજીભાઈ  અઘારાની પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ દ્વારા વરણી કરવામાં આવી છે.

હાલમાં જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પદે નયનભાઈ અઘારાની વરણી કરવામાં આવી છે તે મોરબી તાલુકાના રાજપર ગામના વતની છે. અને મોરબી જિલ્લા પંચાયત ની ગત ટર્મમાં તેઓ રવાપર સીટ ઉપરથી વિજેતા બનીને જિલ્લા પંચાયતના સભ્ય બન્યા હતા ત્યાર બાદ તેઓને મોરબી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા બન્યા હતા. અને વર્ષ 2010 -15 મા તેઓ મોરબી તાલુકા પંચાયતના સદસ્ય પણ રહી ચૂક્યા છે. હાલમાં રાજપર સેવા સહકારી મંડળીના પ્રમુખ છે આ ઉપરાંત વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. મોરબી જિલ્લા કોંગ્રેસના આગેવાનો, સર્વ કાર્યકરો તથા મોરબી જિલ્લાના લોકોએ નયનભાઈ અઘારાની મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ તરીકેની વરણીને સહર્ષ આવકારી છે. અને  તાજેતરમાં કિશોરભાઈ ચીખલીયાનું આકસ્મિક નિધન થયું હોવાના લીધે કોઈ પણ જાતની ઉજવણી વિના સાદગીથી તેઓ પોતાનો પદ સંભાળી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેના કામે લાગી ગયા છે.




Latest News