મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

ટંકારાના નસીતપર ગામ પાસે આવેલ કારખાનામાં ચક્કર આવતા પડી જવાથી ઇજા પામેલા યુવનનું મોત


SHARE





ટંકારાના નસીપર ગામ પાસે આવેલ કારખાનામાં ચક્કર આવતા પડી જવાથી ઇજા પામેલા યુવનનું મોત

ટંકારાના નસીપર ગામની સીમમાં કારખાનાની અંદર પાણીના કુલર પાસે યુવાન પાણી પીવા માટે થઈને ગયો હતો ત્યારે તેને ચક્કર આવતા તે પડી ગયો હતો જેથી તે યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું હતું જે બનાવની મૃતક યુવાનના પરિવારજન દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના નસીપર ગામની સીમમાં આવેલ શ્રી નીલકંઠ પ્રિન્ટપેક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો ચંદનસિંહ રામપ્રસાદ બંસકાર (40) નામનો યુવાન ગત તા/ 4/4 ના રોજ નીલકંઠ કારખાનામાં પાણીના કુલર પાસે પાણી પીવા માટે ગયો હતો ત્યારે ત્યાં તેને અચાનક ચક્કર આવતા તે પડી ગયો હતો અને ત્યારે તે યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું. જેથી આ બનાવની આકાશભાઈ રાજુભાઈ બંસકાર (22) રહે. મૂળ મધ્યપ્રદેશ વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વૃદ્ધનું મોત

મોરબીના વિસીપરા પાસે આવેલ મોલા રાજા સાહેબની દરગાહ પાસે હાર્ટ એટેકનો હુમલો આવતા સુરતના વૃદ્ધનું નિપજયુ હતું.વધુમાં મળતી માહિતી પ્રમાણે સુરતના ભેસ્તાન વિસ્તારના બુરહાની પાર્ક નજીક રહેતા ઈબ્રાહીમભાઇ યુસુફભાઈ બુટવાલા વોરા (54) નામના વૃદ્ધ કાર ડ્રાઇવિંગનું કામકાજ કરતા હોય બસમાં બેસીને સુરતથી જામનગર ગયા હતા અને ત્યાં વોરા સમાજના ધર્મગુરૂની કાર હંકારીને તેઓ મોરબી મોલાઇ રાજા સાહેબની દરગાહ નજીક આવ્યા હતા. અત્રે તેઓને હાર્ટ એટેકમાં તિવ્ર હુમલો આવતા 108 માં તેને મોરબીની સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમને મૃત જાહેર કરીને આ બનાવની પોલીસને જાણ કરી હતી.




Latest News