મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો


SHARE







મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો

મોરબી તાલુકા પોલીસે મોરબી તાલુકા પોલીસ મથક ખાતે વર્ષ ૨૦૧૭ માં નોંધાયેલા સગીરા અપહરણ કેસમાં સહ આરોપી કેજે છેલ્લા નવેક વર્ષથી ફરાર હતો.તેને પકડી પાડવામાં આવેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, નવનિયુક્ત પીઆઇ એન.એસ.ઘેટીયા તથા સ્ટાફ દ્વારા વર્ષ ૨૦૧૭ માં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા સગીરાના અપહરણના ગુનામાં હાલમાં દેબાંસીસ ઉર્ફે દેવાસીસ ઉર્ફે કાનો મદનભાઈ બારીક (૨૮) રહે.કુડિયાના પોસ્ટ જમાલપુર તા.બોસી જી. બાલેશ્વર ઓરિસ્સાની ધરપકડ કરવામાં આવેલ છે. વધુમાં મળતી માહિતી પ્રમાણે આ ગુનામાં અગાઉ એક મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને સહ આરોપી તરીકે મદદગારી કરનાર દેવાંસીસ બારીક છેલ્લા નવેક વર્ષથી ફરાર હતો.જેને થોડા સમય પહેલા રાજકોટ ગ્રામ્ય એલસીબી દ્વારા સાપર ખાતેથી પકડી પાડવામાં આવ્યો હતો અને હાલ તાલુકા પોલીસ હવાલે કરવામાં આવતા મોરબી પોલીસ સ્ટાફ દ્વારા તેની નિયામાનુસાર ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના હળવદ તાલુકાના રણછોડગઢ ગામેથી પરત તેમના ઘરે નવી સીરોઇ ગામે જતા વખતે મેરૂભાઈ અમરશીભાઈ પંચાસરા નામના ૫૦ વર્ષના આધેડનું બાઈક ટ્રક સાથે અથડાતા અકસ્માત બનાવમાં ઇજા થઈ હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા. જ્યારે મોરબી સામાકાંઠે ધરમપુર પાસે આવેલ લાભનગર વિસ્તારમાં રહેતા દયાબેન બચુભાઈ દેગામા નામના ૭૦ વર્ષના વૃદ્ધાને ઘર નજીક કોઈ ઝેરી જનાવર કરડી જતા સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

સારવારમાં રાજકોટ ખસેડાયા

મોરબી સામાકાંઠે રેલ્વે સ્ટેશન પાછળ આવેલ આંબેડકર કોલોની વિસ્તારમાં રહેતા પરસોતમભાઈ હીરાભાઈ ચાવડા નામના ૪૨ વર્ષીય યુવાન તેઓના ઘર નજીક કેતનભાઇના ઘર પાસે કામ કરતા હતા ત્યારે કામ દરમિયાન પહેલા માળની ઊંચાઈએથી નીચે પટકાતા માથા અને શરીરે ઇજાગ્રસ્ત હાલતમાં તેમને મોરબી સિવિલે અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું પોલીસ દ્વારા જણાવાયેલ છે.બનાવ સંદર્ભે નોંધ કરીને પોલીસે આગળની તપાસ શરૂ કરી છે






Latest News