મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા મોરબીના લખધીરપુર રોડે આવેલ કારખાનામાં મશીનના પટ્ટામાં ફસાઈ જતાં ઇજા પામેલા સગીરનું મોત મોરબીના વૃદ્ધની કડીયાણા નજીક આવેલ વાડીમાંથી 1 લાખના કોપર વાયરની ચોરી હળવદમાં જમીન લે-વેચના ભાગીદારને દલાલી આપી દીધી હોવા છતાં વધુ 5 લાખ માંગીને જાનથી મારી નાખવાની ધમકી ટંકારના પાલિકાની પહેલી ચૂંટણીમાં મતદારો ઘટતી પ્રાથમિક સુવિધાઓને ધ્યાને રાખીને કરશે મતદાન: ભાજપ-કોંગ્રેસ સહિતના ઉમેદવારોના જીતના દાવા મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર
Breaking news
Morbi Today

મોરબીમાં જેહાદી માનસિકતાના પુતળા દહન કરીને હિંદુ સંગઠનોએ આવેદનપત્ર પાઠવ્યું


SHARE













મોરબીમાં જેહાદી માનસિકતાના પુતળા દહન કરીને હિંદુ સંગઠનોએ આવેદનપત્ર પાઠવ્યું

દેશની નામી કંપનીઓમાં હિંદુ દીકરીઓના જાતીય શોષણ અને ધર્મ પરિવર્તન કરાવવાની પ્રવૃતિઓ થતી હોવાનું સામે આવ્યું છે ત્યારે ઠેરઠેર તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે દરમ્યાન મોરબીમાં હિન્દુ સંગઠનો દ્વારા જેહાદી માનસિકતા ધરાવનાર લોકો સામે વિરોધ પ્રદર્શન કરીને પૂતળા દહન કરવામાં આવ્યું હતું અને કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.

હિંદુ પરિષદ, બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા જેહાદી માનસિકતા ધરાવતા લોકોની સામે વિરોધ વ્યક્ત કરવામાં આવેલ છે અને જુદીજુદી પ્રતિષ્ઠિત સંસ્થામાં ઉચ્ચ હોદા ઉપર બેસીને કામ કરતાં લોકો દ્વારા લવ જેહાદના માધ્યમથી હિંદુ દીકરીઓના ધર્મ પરિવર્તન અને લેન્ડ જેહાદના માધ્યમથી અવૈધ કબ્જાનું સુનિયોજિત ષડ્યંત્ર કરવામાં આવી રહ્યું છે તેના વિરોધમાં મોરબીના નગર દરવાજા ચોકમાં જેહાદી માનસિકતાના પુતળાનું દહન કર્યું હતું અને કલેકટર મારફત રાષ્ટ્રપતિને આવેદન પાઠવ્યું હતું આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત, સુરેન્દ્રનગર વિભાગ, મોરબી જિલ્લા અને મોરબી પ્રખંડ, હળવદ પ્રખંડના જવાબદાર કાર્યકર્તા બંધુઓ તથાં માતૃશક્તિ અને દુર્ગાવાહિનીનાં કાર્યકર્તા ભગિનીઓ તથા હિંદુ સમાજના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને સરકાર દ્વારા જેહાદી માનસિકતા વાળા લોકોની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.






Latest News