ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી-ટંકારામાં આમ આદમી પાર્ટીએ સરકારને સદબુદ્ધિ માટે યજ્ઞ કર્યો


SHARE













મોરબી-ટંકારામાં આમ આદમી પાર્ટીએ સરકારને સદબુદ્ધિ માટે યજ્ઞ કર્યો

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીમોરબી શહેરની ટીમમોરબી જિલ્લા યુવા ટીમ તેમજ મોરબી શહેર યુવા ટીમ દ્વારા સરસ્વતી યજ્ઞનું આયોજન કરવામા આવ્યુ હતુ જેમા મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનાર સામે સરકાર યોગ્ય પગલા ભરે તેવી ઇશ્વર પાસે પ્રાર્થના કરવામા આવી હતી તેમજ પેપર લીક કૌભાંડ મામલે સરકાર આશિત વોરાનું રાજીનામું લેવામા આવે તે માટે સરકારને ઈશ્વર સદબુદ્ધિ આપે તે માટે આ યજ્ઞનું મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કરવામા આવ્યું હતું આવી જ રીતે ટંકારા તાલુકા આમ આદમી પાર્ટી  ટીમ દ્વારા આર્યવૈદિક સરસ્વતી યજ્ઞનું આયોજન કરવામા આવ્યુ હતુ જેમા ટંકારા તાલુકાના આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓએ હાજરી આપી અને પેપર લીક કૌભાંડ મામલે આશિત વોરાને પદ ઉપરથી દૂર કરવા માટે સરકારને ઈશ્વર સદબુદ્ધિ આપે તે માટે આર્યસમાજના વિદ્વવાન બ્રાહ્મણો દ્વારા આર્યવૈદિક માતા સરસ્વતીના યજ્ઞનું ટંકારામાં આયોજન કરવામાં આવ્યું હતું અને પોલીસે ત્યાં આવીને યજ્ઞ દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની અટકાયત કરી હતી






Latest News