મોરબી: દવા પી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મોત મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ મોરબી વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે: જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટ મોરબીના રવાપર ગામ પાસે આવેલ એપાર્ટમેન્ટના મીટર બોક્સ પાસે આગ: ધડાકા થતા લોકોમાં ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ


SHARE













મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી ગ્રામ્ય સેવા વિભાગ દ્વારા ૧૯ એપ્રિલને રવિવારનાં રોજ સવારે ૯ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધી ભારત રત્ન ડૉ.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે શીતળા માઁ વિસ્તાર, આંગણવાડી, મહેન્દ્રનગર સેવા વસ્તીમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શીતળા માઁ વિસ્તારનાં સ્થાનિક લોકોએ નિઃશુલ્ક મેડિકલ કેમ્પ અને નિઃશુલ્ક જરૂરી દવા વિતરણનો લાભ લીધો હતો તથાં આ કાર્યક્રમમાં મહેન્દ્રનગર વિસ્તારનાં સ્થાનિક કાર્યકર્તાઓ, આર્યતેજ હોમિયોપેથીક મેડિકલ કોલેજ, સત્યમ હોસ્પિટલ અને લેપ્રોકેર હોસ્પિટલનાં ડોક્ટર સાહેબો તથાં તેમની મેડિકલ ટીમ અને વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લા, મોરબી પ્રખંડ અને મોરબી ગ્રામ્યનાં જવાબદાર કાર્યકર્તાઓ દ્વારા સફળતાપૂર્ણ નિઃશુલ્ક મેડિકલ કેમ્પ આયોજન કરવામાં આવ્યુ હતુ.

 
તેમજ વિશ્વ હિન્દુ પરિષદ હળવદ પ્રખંડ સેવા વિભાગ દ્વારા તા.૧૯ એપ્રિલને રવિવાર ના રોજ ડો.બાબાસાહેબ આંબેડકરજીની ૧૩૫મી જન્મજયંતિ નિમિતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હળવદ લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દિપકદાસજી બાપુ, ગુજરાત ક્ષેત્ર બજરંગદળ સંયોજક ભાવેશભાઈ ઠક્કર, મોરબી આયુષ હોસ્પિટલના ડૉ.આકાશભાઈ કુંડારીયા, ડૉ.સેતુભાઈ જસાણી તેમજ ડૉ.અંકિતભાઈ માલમપરા પણ આ મેડિકલ કેમ્પની અંદર ઉપસ્થિત રહ્યા હતા.કેમ્પમાંં બ્લડપ્રેસર માપવા, સુગર ચેક કરવાનું તથા દવાઓ બિલકુલ નિ:શુલ્ક આપવામાં આવી હતી અને આ કેમ્પનો હળવદ શહેરની જનતાએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો તથાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ હળવદની ટીમ સતત કાર્યરત હતી.





Latest News