મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ


SHARE







મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી ગ્રામ્ય સેવા વિભાગ દ્વારા ૧૯ એપ્રિલને રવિવારનાં રોજ સવારે ૯ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધી ભારત રત્ન ડૉ.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે શીતળા માઁ વિસ્તાર, આંગણવાડી, મહેન્દ્રનગર સેવા વસ્તીમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શીતળા માઁ વિસ્તારનાં સ્થાનિક લોકોએ નિઃશુલ્ક મેડિકલ કેમ્પ અને નિઃશુલ્ક જરૂરી દવા વિતરણનો લાભ લીધો હતો તથાં આ કાર્યક્રમમાં મહેન્દ્રનગર વિસ્તારનાં સ્થાનિક કાર્યકર્તાઓ, આર્યતેજ હોમિયોપેથીક મેડિકલ કોલેજ, સત્યમ હોસ્પિટલ અને લેપ્રોકેર હોસ્પિટલનાં ડોક્ટર સાહેબો તથાં તેમની મેડિકલ ટીમ અને વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લા, મોરબી પ્રખંડ અને મોરબી ગ્રામ્યનાં જવાબદાર કાર્યકર્તાઓ દ્વારા સફળતાપૂર્ણ નિઃશુલ્ક મેડિકલ કેમ્પ આયોજન કરવામાં આવ્યુ હતુ.

 
તેમજ વિશ્વ હિન્દુ પરિષદ હળવદ પ્રખંડ સેવા વિભાગ દ્વારા તા.૧૯ એપ્રિલને રવિવાર ના રોજ ડો.બાબાસાહેબ આંબેડકરજીની ૧૩૫મી જન્મજયંતિ નિમિતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હળવદ લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દિપકદાસજી બાપુ, ગુજરાત ક્ષેત્ર બજરંગદળ સંયોજક ભાવેશભાઈ ઠક્કર, મોરબી આયુષ હોસ્પિટલના ડૉ.આકાશભાઈ કુંડારીયા, ડૉ.સેતુભાઈ જસાણી તેમજ ડૉ.અંકિતભાઈ માલમપરા પણ આ મેડિકલ કેમ્પની અંદર ઉપસ્થિત રહ્યા હતા.કેમ્પમાંં બ્લડપ્રેસર માપવા, સુગર ચેક કરવાનું તથા દવાઓ બિલકુલ નિ:શુલ્ક આપવામાં આવી હતી અને આ કેમ્પનો હળવદ શહેરની જનતાએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો તથાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ હળવદની ટીમ સતત કાર્યરત હતી.





Latest News