મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ


SHARE







મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ

મોરબી કોર્ટે ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની કેદની સજા તથા બમણી રકમ વ્યાજ સહીત ચુકવવાનો હુકમ કરેલ છે.

મોરબી કોર્ટે તાજેતરમાં ચેક રીર્ટનની ફરીયાદમાં મહત્વનો અને દાખલારૂપ ચુકાદો આપેલ છે.કેસની હકીકત જોઈએ તો, ફરીયાદી મનીષભાઈ નાથાભાઈ ધોડાસરાએ ભરતભાઈ રામજીભાઈ ડેડાણીયાને વર્ષ ૨૦૧૯ માં સંબંધના દાવે હાથ ઉછીના પેટે રૂપીયા ૧૩,૩૫,૦૦૦ આપેલ હતા.જે બાબતની મનીષભાઈ અને ભરતભાઈ વચ્ચે પ્રોમીસરી નોટ કરવામાં આવેલ હતી.જેની સામે ભરતભાઈએ મનીષભાઈને અલગ અલગ ચેકો આપેલ હતાં.જે ચેક મનીષભાઈએ પોતાના નાણાં વસુલવા પોતાના બેંક ખાતામાં રજુ કરતાં, ચેક વણચુકવ્યે પરત થતાં, મનીષભાઈએ ભરતભાઇને વકીલ મારફત નોટીસ આપેલ છતાં તેઓએ ચેકની રકમ ન આપતાં અંતે મનીષભાઈએ ભરતભાઈ રામજીભાઈ ડેડાણીયા વિરુધ્ધ મોરબી કોર્ટમાં ફોજદારી ફરીયાદ દાખલ કરેલ જે ફોજદારી કેસ નંબર ૫૬૦૩/૨૦૨૨ થી કેસ ચાલી જતાં, ફરીયાદી પક્ષે રજુ કરાયેલ પુરાવાઓ, દલીલો તથા રજુ કરાયેલ નામદાર હાઈકોર્ટ તથા નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈ મોરબીના મહે.ચોથા એડી.ચીફ જયુડી.મેજીસ્ટ્રેટ સી.વાય.જાડેજા સાહેબે ભરતભાઈ રામજીભાઈ ડેડાણીયાને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમથી ડબલ રકમનો દંડ રૂપીયા ૨૬,૭૦,૦૦૦ તથા ફરીયાદીને ફરીયાદ દાખલ કર્યા તારીખથી ચેકની રકમ ઉપર વાર્ષિક ૯ ટકા વ્યાજ વળતર પેટે ચુકવવાનો અને તેમ કરવામાં કસુર કર્યે વધુ ૯૦ દીવસની સજા ફરમાવવાનો મહત્વનો ચુકાદો જાહેર કરેલ છે.આ કેસમાં ફરીયાદી પક્ષે વકીલ તરીકે એડ.આશિષ.ડી.ચાવડા અને એડ.મિતરાજસિંહ કે.જાડેજા રોકાયેલ હતાં.






Latest News