મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત મોરબીના લાલપર ગામે ઇશાન કોમ્પ્લેક્ષમાં જુગાર રમતા પાંચ પકડાયા: 1 લાખથી વધુની રોકડ કબજે મોરબીમાં વધુ એક હત્યા : રંગપર નજીક મહિલાનું મર્ડર, છ માસના ટૂંકા ગાળામાં ૧૨ જેટલી હત્યાથી ભયનો માહોલ
Breaking news
Morbi Today

મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ


SHARE









મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ

મોરબી કોર્ટે ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની કેદની સજા તથા બમણી રકમ વ્યાજ સહીત ચુકવવાનો હુકમ કરેલ છે.

મોરબી કોર્ટે તાજેતરમાં ચેક રીર્ટનની ફરીયાદમાં મહત્વનો અને દાખલારૂપ ચુકાદો આપેલ છે.કેસની હકીકત જોઈએ તો, ફરીયાદી મનીષભાઈ નાથાભાઈ ધોડાસરાએ ભરતભાઈ રામજીભાઈ ડેડાણીયાને વર્ષ ૨૦૧૯ માં સંબંધના દાવે હાથ ઉછીના પેટે રૂપીયા ૧૩,૩૫,૦૦૦ આપેલ હતા.જે બાબતની મનીષભાઈ અને ભરતભાઈ વચ્ચે પ્રોમીસરી નોટ કરવામાં આવેલ હતી.જેની સામે ભરતભાઈએ મનીષભાઈને અલગ અલગ ચેકો આપેલ હતાં.જે ચેક મનીષભાઈએ પોતાના નાણાં વસુલવા પોતાના બેંક ખાતામાં રજુ કરતાં, ચેક વણચુકવ્યે પરત થતાં, મનીષભાઈએ ભરતભાઇને વકીલ મારફત નોટીસ આપેલ છતાં તેઓએ ચેકની રકમ ન આપતાં અંતે મનીષભાઈએ ભરતભાઈ રામજીભાઈ ડેડાણીયા વિરુધ્ધ મોરબી કોર્ટમાં ફોજદારી ફરીયાદ દાખલ કરેલ જે ફોજદારી કેસ નંબર ૫૬૦૩/૨૦૨૨ થી કેસ ચાલી જતાં, ફરીયાદી પક્ષે રજુ કરાયેલ પુરાવાઓ, દલીલો તથા રજુ કરાયેલ નામદાર હાઈકોર્ટ તથા નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈ મોરબીના મહે.ચોથા એડી.ચીફ જયુડી.મેજીસ્ટ્રેટ સી.વાય.જાડેજા સાહેબે ભરતભાઈ રામજીભાઈ ડેડાણીયાને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમથી ડબલ રકમનો દંડ રૂપીયા ૨૬,૭૦,૦૦૦ તથા ફરીયાદીને ફરીયાદ દાખલ કર્યા તારીખથી ચેકની રકમ ઉપર વાર્ષિક ૯ ટકા વ્યાજ વળતર પેટે ચુકવવાનો અને તેમ કરવામાં કસુર કર્યે વધુ ૯૦ દીવસની સજા ફરમાવવાનો મહત્વનો ચુકાદો જાહેર કરેલ છે.આ કેસમાં ફરીયાદી પક્ષે વકીલ તરીકે એડ.આશિષ.ડી.ચાવડા અને એડ.મિતરાજસિંહ કે.જાડેજા રોકાયેલ હતાં.






Latest News