મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ
મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો
SHARE
મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો
મોરબીમાં નોંધાયેલા સાઈબર ફાઈમના ગુનાના આરોપીનો સાઈબર ક્રાઇમના ગુન્હામાં જામીન ઉપર છુટકારો થયેલ છે.
મોરબી સાઈબર ફાઈમ પોલીસ સ્ટેશનમાં આરોપી જયદીપ રામભાઈ લગારીયા રહે.આંબરડી તા.ભાણવડ જી.દેવભુમી દ્રારકા સામે આઈટી એકટ સહિતની વિવિધ કલમથી નોંધાયેલા ગુન્હાના કામે જયદિપની અટકાયત કરીને નામ. નીચેની અદાલતમાં રજુ કરેલ ત્યારથી જયુડી. કસ્ટડીમાં જેલ હવાલે હોય ત્યારબાદ નામ.સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતા આરોપી જયદિપે મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબીના વિશેષ ન્યાયધીશ અને અધીક ક્ષત્ર ન્યાયધીશશ્રીની સમક્ષ સેશન્સ જજ સાહેબશ્રીની કોર્ટમાં રેગ્યુલર જામીન ઉપર મુકત થવા જામીન અરજી કરતા આરોપીના વકીલ મનિષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) એ નામ.સુપ્રીમ કોર્ટ તથા નામ.ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરી ધારદાર દલીલ કરેલ જેને ધ્યાને લઈ મોરબીના વિશેષ ન્યાયધીશ અને અધીક ક્ષત્ર ન્યાયધીશશ્રીની સમક્ષ સેશન્સ જજ સાહેબશ્રીની કોર્ટમાં મોરબીના શ્રી કે.આર.પંડયા સાહેબએ આરોપી જયદીપ રામભાઈ લગારીયાને રૂા.૨૫,૦૦૦ ના જામીન તેમજ શરતોને આધીન રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરેલ છે.આ કેસમાં આરોપીના વકીલ તરીકે એડ.મનિષ પી. ઓઝા તથા એડ.મેનાઝ એ.પરમાર રોકાયેલા હતા.









