મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો


SHARE













મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો

મોરબીમાં ફ્લેટ વેચાણ કરવાની જાહેરાત આપીને વૃદ્ધની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી જેથી કરીને તેઓએ યુવાન અને તેના માતા પિતાની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ કરી હતી જે ગુનામાં પકડાયેલ દંપતીના જામીન માટેની અરજી કરવામાં આવી હતી જેમાં આરોપીના વકીલને દલીલને ધ્યાને લઈને કોર્ટે દંપતીના જામીન મંજૂર કર્યા છે.

મોરબીમાં રહેતા સુનિલકુમાર કુમુદચંદ્ર દોશીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અગાઉ પાર્થભાઈ મુકેશભાઈ મહેતા, મુકેશભાઈ અંબાપ્રસાદ મહેતા અને હીનાબેન મુકેશભાઈ મહેતા રહે. બધા આશુતોષ હાઈટસ બ્લોક નં. 101 કાયાજી પ્લોટ સનાળા રોડ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતું કે, પાર્થભાઈ મહેતાએ પોતાના મોબાઈલ ફોન ઉપરથી ઓએલએક્સમાં ફ્લેટ વેચવા માટેની જાહેરાત મૂકી હતી જેથી ફરિયાદી તથા સાહેદો ફ્લેટ જોવા અને લેવા માટે ગયા હતા ત્યારે તેઓને વિશ્વાસમાં લઈને હીનાબેન મહેતાના નામના ફલેટ ઉપર બેંકમાં મોટી લોન લીધેલી હતી જે રેકોર્ડ ઉપર હોવા છતાં તે છુપાવ્યું હતું અને ફરિયાદીને ફ્લેટ વેચાણનો ખોટો સાટાખત કરી આપ્યો હતો. જેના અવાજમાં મોટી રકમ મેળવી લેવામાં આવી હતી તેમજ સાહેદ સાથે અગાઉથી કાવતરું રચીને વિશ્વાસમાં લઈને વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરી હતી જેથી વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે યુવાન અને તેના માતા પિતાની ધરપકડ કરી હતી અને આ ગુનામાં પકડાયેલ આરોપીઓ મુકેશભાઈ અંબાપ્રસાદ મહેતા અને હીનાબેન મુકેશભાઈ મહેતાની મોરબીની સેશન્સ કોર્ટમાં તેના વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફતે રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી અને મોરબીના વિશેષ ન્યાયધીશ, અધીક ક્ષત્ર ન્યાયધીશ અને સેશન્સ જજ સાહેબ કે.આર.પંડયાની કોર્ટમાં આરોપીના વકીલએ સુપ્રીમ અને હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કર્યા હતા અને ધારદાર દલીલ કરી હતી જેને ઘ્યાને લઈને કોર્ટે આરોપીઓ મુકેશભાઈ મહેતા અને હીનાબેન મહેતાને પ્રત્યેકને રૂપિયા 25 હજાર ના જામીન આપી શરતોને આધીન રેગ્યુલર જામીન મંજૂર કરેલ છે. આ કેસમાં આરોપીના વકીલ તરીકે મનિષ પી. ઓઝા (ગોપાલ ભાઈ) તથા કુ. મેનાઝ એ પરમાર રોકાયેલા હતા.






Latest News