મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત


SHARE







મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત

મોરબીની હરીપાર્ક સોસાયટીમાં રહેતા યુવાને કોઈ કારણોસર એલ.ઈ. ગ્રાઉન્ડ પાસેથી પસાર થઈ રહેલ રેલવે ટ્રેન હેઠળ ઝંપલાવ્યું હતું જેથી તે યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થવાના કારણે યુવાનનું મોત નીપજ્યું હતું અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં વિદ્યુતનગર પાસે આવેલ હરીપાર્કમાં રહેતા દિલીપભાઈ રમેશભાઈ ઝીંઝવાડીયા (36) નામના યુવાને મોરબીમાં એ.ઈ. ગ્રાઉન્ડ પાસે આવેલ રેલવે ટ્રેક ઉપરથી પસાર થતી ટ્રેન હેઠળ ઝંપલાવી દેતા તે યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી યુવાનનું મોત નિપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતક યુવાનના ભાઈ રાજુભાઈ રમેશભાઈ ઝીંઝવાડીયા (43) રહે. હરીપાર્ક વિદ્યુતનગર પાસે મોરબી વાળાએ જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.એમ.જાપડીયા ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના ખારચિયા ગામે ઓમનગરમાં રહેતા જૈમીન તુલસીભાઈ કુબાવત (18) નામનો યુવાન ગામ પાસેથી બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના લીધે અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતા જન્નતબેન ઈસ્માઈલભાઈ પઠાણ (36) ઇકો  ગાડીમાં બેસીને જતા હતા ત્યારે જેપુર ગામે ફાટક પાસે ટ્રેક્ટર સાથે ઇકો અથડાતાં અકસ્માત થયો હતો અને આ બનાવમાં તેઓને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News