મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ
SHARE
મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ
મોરબી નજીકના ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી હાલમાં ભોગ બનેલ સગીરાના પરિવરજન દ્વારા નામ જોગ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે તેને જુદી જુદી દિશામાં ચક્રોગતિમાન કર્યા છે
મોરબી નજીકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની દીકરીનું ધૂળકોટ ગામે રહેતા મોહિત મહેશભાઈ નામના શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે તેવી હાલમાં સગીરાના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધી કાઢવા માટે તજવીજ હાથ ધરી છે. અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇના માર્ગદર્શન દ્વારા કરવામાં આવી રહી છે
સિંદુર પી લેતા સારવારમાં
મોરબી તાલુકાના તળાવીયા સનાળા ગામ પાસે આવેલ સીરામીક કારખાના લેબર કવાર્ટરમાં રહેતી સંધ્યાબેન બિંદુરામ સુરેન (19) નામની મહિલાએ કોઈ કારણોસર સિંદુર પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે
અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના નાગડાવાસ ગામે રહેતા નંદાભાઈ શંકરભાઈ તોમર (26) નામના યુવાનને અમરનગર અને દાદાશ્રીનગર વચ્ચે અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે