મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબીના વનાળિયા ગામે છરીના ઘા મારીને યુવાનની હત્યા કરનારા કૌટુંબિક કાકાની ધરપકડ


SHARE









મોરબીના વનાળિયા ગામે છરીના ઘા મારીને યુવાનની હત્યા કરનારા કૌટુંબિક કાકાની ધરપકડ

મોરબીના વનાળીયા ગામે રહેતા યુવાનના ઘર પાસે તેને કૌટુંબિક કાકા ગાળો બોલતા હતા જેથી યુવાને તેને ગાળો બોલવાની ના પાડી હતી જે બાબતનો ખાર રાખીને યુવાન ઉપર તેના કૌટુંબીક કાકાએ છરી વડે હુમલો કર્યો હતો અને તેને પેટ અને કમરના ભાગે છરીના જીવલેણ ઘા માર્યા હતા જે બનાવમાં ઇજા પામેલા યુવાનનું મોત નીપજયું હતું જેથી બનાવ હત્યામાં પલટાયો હતો અને આ બનાવ સંદર્ભે પોલીસે મૃતક યુવાનના પિતાની હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેથી કરીને આ ગુયાનમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના વનળીયા ગામે રહેતા મહેશ ગોરધનભાઈ રાઠોડ (28) નામના યુવાનને ગુરુવારે ગતરાત્રિના આઠેક વાગ્યાના અરસામાં તેના કૌટુંબી કાકા સુરેશભાઈ કાનજીભાઈ રાઠોડએ પેટ અને કમરના ભાગે છરીના ઘા માર્યા હતા જેથી ઇજા પામેલા મહેશને સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા મહેશભાઈનું મોત નીપજ્યું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવાનના પિતા ગોરધનભાઈ જગાભાઈ રાઠોડએ હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓના દીકરા મહેશ રાઠોડના ઘર પાસે ફરિયાદીનો કૌટુંબિક ભાઈ સુરેશભાઈ કાનજીભાઈ રાઠોડ ગાળો બોલતા હતા જેથી મહેશએ તેને ગાળો બોલવાની ના પાડી હતી જે બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી ત્યારબાદ સુરેશભાઈએ મહેશને છરીના પેટ તેમજ કમરના ભાગે ઘા માર્યા હતા જે તેનું મોત નીપજયું છે હાલમાં પોલીસે હત્યાના આ ગુનામાં આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે આરોપી સુરેશભાઈ કાનજીભાઈ રાઠોડ (34) રહે. વનાળિયા વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે. અને આગળની કાર્યવાહી કરી છે.






Latest News