મોરબીના વનાળિયા ગામે છરીના ઘા મારીને યુવાનની હત્યા કરનારા કૌટુંબિક કાકાની ધરપકડ મોરબી જીલ્લામાં મોલ, મલ્ટીપ્લેક્ષ, પેટ્રોલપંપ સહિતના સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં 31 મે સુધી હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબીના રાજપર ગામનો બનાવ: દીકરાની જે મહિલા સાથે સગાઈ કરાવી તેના પૂર્વ પતિ સહિત ત્રણ શખ્સોએ આધેડને ધોકા-પાઇપથી માર માર્યો માળીયા (મી)ના ચાચાવદરડા નજીકથી રીક્ષાને છોટાહાથીના ચાલકે ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત: 4 ને ઇજા વાંકાનેરમાં કંપનીના એકાઉન્ટન્ટે 56.59 લાખ રૂપિયા માતા-માસીના એકાઉન્ટમાં જમા કરાવીને કર્યો વિશ્વાસઘાત ટંકારાની હરિઓમ સોસાયટીમાં ઘરમાંથી દારૂની 384 બોટલ સાથે ઘરધણીની ધરપકડ: અન્ય એકની શોધખોળ ​​​​​​​મોરબીમાં ઘરે સીડી ઉપરથી પડતાં માથામાં ઇજા પામેલા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના વનાળિયા ગામે છરીના ઘા મારીને યુવાનની હત્યા કરનારા કૌટુંબિક કાકાની ધરપકડ


SHARE













મોરબીના વનાળિયા ગામે છરીના ઘા મારીને યુવાનની હત્યા કરનારા કૌટુંબિક કાકાની ધરપકડ

મોરબીના વનાળીયા ગામે રહેતા યુવાનના ઘર પાસે તેને કૌટુંબિક કાકા ગાળો બોલતા હતા જેથી યુવાને તેને ગાળો બોલવાની ના પાડી હતી જે બાબતનો ખાર રાખીને યુવાન ઉપર તેના કૌટુંબીક કાકાએ છરી વડે હુમલો કર્યો હતો અને તેને પેટ અને કમરના ભાગે છરીના જીવલેણ ઘા માર્યા હતા જે બનાવમાં ઇજા પામેલા યુવાનનું મોત નીપજયું હતું જેથી બનાવ હત્યામાં પલટાયો હતો અને આ બનાવ સંદર્ભે પોલીસે મૃતક યુવાનના પિતાની હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેથી કરીને આ ગુયાનમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના વનળીયા ગામે રહેતા મહેશ ગોરધનભાઈ રાઠોડ (28) નામના યુવાનને ગુરુવારે ગતરાત્રિના આઠેક વાગ્યાના અરસામાં તેના કૌટુંબી કાકા સુરેશભાઈ કાનજીભાઈ રાઠોડએ પેટ અને કમરના ભાગે છરીના ઘા માર્યા હતા જેથી ઇજા પામેલા મહેશને સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા મહેશભાઈનું મોત નીપજ્યું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવાનના પિતા ગોરધનભાઈ જગાભાઈ રાઠોડએ હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓના દીકરા મહેશ રાઠોડના ઘર પાસે ફરિયાદીનો કૌટુંબિક ભાઈ સુરેશભાઈ કાનજીભાઈ રાઠોડ ગાળો બોલતા હતા જેથી મહેશએ તેને ગાળો બોલવાની ના પાડી હતી જે બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી ત્યારબાદ સુરેશભાઈએ મહેશને છરીના પેટ તેમજ કમરના ભાગે ઘા માર્યા હતા જે તેનું મોત નીપજયું છે હાલમાં પોલીસે હત્યાના આ ગુનામાં આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે આરોપી સુરેશભાઈ કાનજીભાઈ રાઠોડ (34) રહે. વનાળિયા વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે. અને આગળની કાર્યવાહી કરી છે.






Latest News