ગુજરાત રાજપૂત યુવા સંઘના મોરબી જિલ્લાના પ્રમુખ પદે મહેન્દ્રસિંહ ઝાલાની વરણી હવે પાઇલોટિંગ સાથે નહીં રાખે: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીઝલ બચાવવાની અપીલ બાદ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનો નિર્ણય ટંકારા આઇટીઆઇ ખાતે ૧૬ મે એ ભરતી મેળાનું આયોજન સૂડી વચ્ચે સોપારી: મોરબીના સિરામિક કારખાનામાં વીજ પુરવઠો આવતો નથી ?, જનરેટર માટે પેટ્રોલપંપેથી ડીઝલ બેરલમાં આપતા નથી ! મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ  મહિલાનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ મોરબી રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનો પાટોત્સવ યોજાયો વાંકાનેરના રંગપર ગામે સમૂહ લગ્નમાં આવેલ યુવાને અગાઉ પ્રેમ લગ્ન કરેલ હોય યુવતીના ચાર ભાઈ સહિત કુલ 5 વ્યક્તિઓએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી ઉતમ સ્વસ્થ્ય માટે લાઈફ સ્ટાઇલમાં થોડો ચેન્જ અનિવાર્ય: મોરબીમાં યોજાયેલ આરોગ્ય કથામાં વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની ટકોર
Breaking news
Morbi Today

વાંકાનેર પાસેના માટેલ ધામ ખાતે ભાગવત સપ્તાહનું આયોજન


SHARE













વાંકાનેર પાસેના માટેલ ધામ ખાતે ભાગવત સપ્તાહનું આયોજન

કથા દરમિયાન ધાર્મિક પ્રસંગો ધામધૂમથી ઉજવાશે

 વાંકાનેર નજીક આવેલ યાત્રાધામ આઈશ્રી ખોડીયાર માતાજીના મંદિર (માટેલ ધામ)ના સાનિધ્યમાં આવતીકાલ તા.2/5 થી 8/5 દરમ્યાન શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન રાજકોટ સ્થિત શુકલ પરિવાર દ્વારા સર્વે પિતૃઓના મોક્ષાર્થે કરવામાં આવેલ છે.

 કરોડો લોકોના કુળદેવીમાં આઈશ્રી ખોડીયાર માતાજીના સાનિધ્યમાં આવુ આયોજન થતા માટેલ ગ્રામજનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગના પ્રારંભે તા.2ના બપોર ત્રણ કલાકે સંગીતના સથવારે માંના સાનિધ્ય ખાતેથી ભવ્ય પોથીયાત્રાનો પ્રારંભ થશે જે વાજતે ગાજતે કથા સ્થળે પહોંચશે. ત્યારબાદ સલડી નિવાસી પ્રખર ભાગવતાચાર્ય શાસ્ત્રી પંકજભાઈ રવિશંકર શુકલના મુખેથી સંગીતના સથવારે કથા શ્રવણનો પ્રારંભ થશે ત્યારે આ પાવન દિવ્ય અવસરે ભાવિક ભકતજનોને કથા શ્રવણ અને મહાપ્રસાદનો લાભ લેવા શુકલ પરિવાર દ્વારા જણાવાયુ છે.કથાનો સમય સવારે 8-30 થી 12-30 નો રાખવામાં આવેલ છે. મહાપ્રસાદ બન્ને ટાઈમ અવિરત પણે યોજાશે.આ અવસરે કથા દરમ્યાન આવતા વિવિધ પ્રસંગો ધામધુમથી યોજાશે






Latest News