દેશભરમાં કરોડો મોબાઇલમાં સાથે મળશે SMS વાંકાનેર પાસેના માટેલ ધામ ખાતે ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના વનાળિયા ગામે છરીના ઘા મારીને યુવાનની હત્યા કરનારા કૌટુંબિક કાકાની ધરપકડ મોરબી જીલ્લામાં મોલ, મલ્ટીપ્લેક્ષ, પેટ્રોલપંપ સહિતના સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં 31 મે સુધી હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબીના રાજપર ગામનો બનાવ: દીકરાની જે મહિલા સાથે સગાઈ કરાવી તેના પૂર્વ પતિ સહિત ત્રણ શખ્સોએ આધેડને ધોકા-પાઇપથી માર માર્યો માળીયા (મી)ના ચાચાવદરડા નજીકથી રીક્ષાને છોટાહાથીના ચાલકે ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત: 4 ને ઇજા વાંકાનેરમાં કંપનીના એકાઉન્ટન્ટે 56.59 લાખ રૂપિયા માતા-માસીના એકાઉન્ટમાં જમા કરાવીને કર્યો વિશ્વાસઘાત
Breaking news
Morbi Today

વાંકાનેર પાસેના માટેલ ધામ ખાતે ભાગવત સપ્તાહનું આયોજન


SHARE













વાંકાનેર પાસેના માટેલ ધામ ખાતે ભાગવત સપ્તાહનું આયોજન

કથા દરમિયાન ધાર્મિક પ્રસંગો ધામધૂમથી ઉજવાશે

 વાંકાનેર નજીક આવેલ યાત્રાધામ આઈશ્રી ખોડીયાર માતાજીના મંદિર (માટેલ ધામ)ના સાનિધ્યમાં આવતીકાલ તા.2/5 થી 8/5 દરમ્યાન શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન રાજકોટ સ્થિત શુકલ પરિવાર દ્વારા સર્વે પિતૃઓના મોક્ષાર્થે કરવામાં આવેલ છે.

 કરોડો લોકોના કુળદેવીમાં આઈશ્રી ખોડીયાર માતાજીના સાનિધ્યમાં આવુ આયોજન થતા માટેલ ગ્રામજનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગના પ્રારંભે તા.2ના બપોર ત્રણ કલાકે સંગીતના સથવારે માંના સાનિધ્ય ખાતેથી ભવ્ય પોથીયાત્રાનો પ્રારંભ થશે જે વાજતે ગાજતે કથા સ્થળે પહોંચશે. ત્યારબાદ સલડી નિવાસી પ્રખર ભાગવતાચાર્ય શાસ્ત્રી પંકજભાઈ રવિશંકર શુકલના મુખેથી સંગીતના સથવારે કથા શ્રવણનો પ્રારંભ થશે ત્યારે આ પાવન દિવ્ય અવસરે ભાવિક ભકતજનોને કથા શ્રવણ અને મહાપ્રસાદનો લાભ લેવા શુકલ પરિવાર દ્વારા જણાવાયુ છે.કથાનો સમય સવારે 8-30 થી 12-30 નો રાખવામાં આવેલ છે. મહાપ્રસાદ બન્ને ટાઈમ અવિરત પણે યોજાશે.આ અવસરે કથા દરમ્યાન આવતા વિવિધ પ્રસંગો ધામધુમથી યોજાશે






Latest News