ગુજરાત રાજપૂત યુવા સંઘના મોરબી જિલ્લાના પ્રમુખ પદે મહેન્દ્રસિંહ ઝાલાની વરણી હવે પાઇલોટિંગ સાથે નહીં રાખે: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીઝલ બચાવવાની અપીલ બાદ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનો નિર્ણય ટંકારા આઇટીઆઇ ખાતે ૧૬ મે એ ભરતી મેળાનું આયોજન સૂડી વચ્ચે સોપારી: મોરબીના સિરામિક કારખાનામાં વીજ પુરવઠો આવતો નથી ?, જનરેટર માટે પેટ્રોલપંપેથી ડીઝલ બેરલમાં આપતા નથી ! મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ  મહિલાનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ મોરબી રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનો પાટોત્સવ યોજાયો વાંકાનેરના રંગપર ગામે સમૂહ લગ્નમાં આવેલ યુવાને અગાઉ પ્રેમ લગ્ન કરેલ હોય યુવતીના ચાર ભાઈ સહિત કુલ 5 વ્યક્તિઓએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી ઉતમ સ્વસ્થ્ય માટે લાઈફ સ્ટાઇલમાં થોડો ચેન્જ અનિવાર્ય: મોરબીમાં યોજાયેલ આરોગ્ય કથામાં વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની ટકોર
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખીરસરા ગામે તળાવના પાણીમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત: મોટા દહિસરા ગામે એસિડ પી જતા માનસિક અસ્વસ્થ વૃદ્ધનું મોત


SHARE













માળીયા (મી)ના ખીરસરા ગામે તળાવના પાણીમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત: મોટા દહિસરા ગામે એસિડ પી જતા માનસિક અસ્વસ્થ વૃદ્ધનું મોત

માળીયા મીયાણા તાલુકાના ખીરસરા ગામે તળાવના વહેણમાં નાહવા માટે ગયેલા વૃદ્ધ પાણીમાં ડૂબી જતા તેનું મોત નિપજ્યું હતું જ્યારે મોટા દહીસરા ગામે આવેલ વિવેકાનંદનગરમાં રહેતા વૃદ્ધ માનસિક બીમારી હોય માનસિક રીતે અશ્વસ્થ રહેતા હતા અને તેઓ પોતાની જાતે એસિડ પી જતા તેનું મોત નીપજ્યું હતું આ બંને બનાવની માળિયા તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા મીયાણા તાલુકાના ખીરસરા ગામે રહેતા માનભાઈ ભગાભાઈ વાઘેલા (60) નામના વૃદ્ધ ગામ પાસે આવેલ તળાવના પાણીના નિકાલના વહેણમાં નાહવા માટે થઈને ગયા હતા ત્યારે ત્યાં કોઈ પણ કારણોસર પાણીમાં ડૂબી જવાના કારણે તેમનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેમના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે આવેલ વિવેકાનંદનગરમાં રહેતા રવુભા મોમૈયાજી જાડેજા (83) નામના વૃદ્ધ છેલ્લા પાંચેક મહિનાથી માનસિક બીમારીથી પીડાતા હતા અને માનસિક રીતે અશ્વસ્થ રહેતા હોય પોતે પોતાની જાતે ઘરે એસિડ પી ગયા હતા જેથી તેમનું મોત નીપજ્યું હતું અને આ બનાવની મૃતક વૃદ્ધના દીકરા મંગળસિંહ રવુભા જાડેજા રહે. વિવેકાનંદનગર મોટા દહીસરા વાળાએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News