મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વકીલનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીના જૂના ખારચિયા, ઓમનગર અને રામનગરમાં બસ સ્ટેન્ડ બનાવવાની માંગ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટીનો સેવાકીય ઉપક્રમ – દિવ્યાંગ માટે ટ્રાઇસાયકલ અર્પણ ભારત વિકાસ પરિષદ-મોરબી શાખા વાર્ષિક સાધારણ સભા તેમજ પદગ્રહણ સમારોહ મોરબી નજીક કારખાનામાં ટીસીમાં તોડફોડ કરીને 1500 લિટર ઓઇલ ઢોળી નાખ્યું: 375 કિલો કોપર વાયરની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના જૂના ખારચિયા, ઓમનગર અને રામનગરમાં બસ સ્ટેન્ડ બનાવવાની માંગ


SHARE













મોરબીના જૂના ખારચિયા, ઓમનગર અને રામનગરમાં બસ સ્ટેન્ડ બનાવવાની માંગ

મોરબીના જૂના ખારચિયા, ઓમનગર અને રામનગરમાં બસ સ્ટેન્ડની સુવિધા નથી જેથી કરીને મુસાફરોને હેરાન થવું પડે છે માટે ખારચીયા ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા ધારાસભ્યને રજૂઆત કરીને બસ સ્ટેશન બનાવવાની માંગ કરવામાં આવેલ છે.

ખારચીયા ગ્રામ પંચાયતના સદસ્ય જાડેજા સુરપાલસિંહધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાને રજૂઆત કરી છે કે, તેઓના ગામ જૂના ખારચિયા તેમજ ઓમનગર અને રામનગરમાં બસ સ્ટેન્ડની સુવિધા નથી તો ગ્રામજનોને બહારગામ  જતી વખતે ચોમાસુ અને ઉનાળોમાં રસ્તા પર ઊભા રહેવું પડે છે જેથી કરીને સગર્ભા મહિલા, વૃદ્ધ સહિતના લોકોને હેરાન થવું પડે છે. અને બેસવા માટે ક્યાંય કોઈ સુવિધા નથી જેથી લોકોને ઘણી તકલીફ પડે છે. છેલ્લા ત્રણ વર્ષથી આ ત્રણેય ગામના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેથી વહેલી તકે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ત્રણેય ગામમાં બસ સ્ટેન્ડ બનાવી આપવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News