મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટીનો સેવાકીય ઉપક્રમ – દિવ્યાંગ માટે ટ્રાઇસાયકલ અર્પણ
મોરબીના જૂના ખારચિયા, ઓમનગર અને રામનગરમાં બસ સ્ટેન્ડ બનાવવાની માંગ
SHARE
મોરબીના જૂના ખારચિયા, ઓમનગર અને રામનગરમાં બસ સ્ટેન્ડ બનાવવાની માંગ
મોરબીના જૂના ખારચિયા, ઓમનગર અને રામનગરમાં બસ સ્ટેન્ડની સુવિધા નથી જેથી કરીને મુસાફરોને હેરાન થવું પડે છે માટે ખારચીયા ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા ધારાસભ્યને રજૂઆત કરીને બસ સ્ટેશન બનાવવાની માંગ કરવામાં આવેલ છે.
ખારચીયા ગ્રામ પંચાયતના સદસ્ય જાડેજા સુરપાલસિંહએ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાને રજૂઆત કરી છે કે, તેઓના ગામ જૂના ખારચિયા તેમજ ઓમનગર અને રામનગરમાં બસ સ્ટેન્ડની સુવિધા નથી તો ગ્રામજનોને બહારગામ જતી વખતે ચોમાસુ અને ઉનાળોમાં રસ્તા પર ઊભા રહેવું પડે છે જેથી કરીને સગર્ભા મહિલા, વૃદ્ધ સહિતના લોકોને હેરાન થવું પડે છે. અને બેસવા માટે ક્યાંય કોઈ સુવિધા નથી જેથી લોકોને ઘણી તકલીફ પડે છે. છેલ્લા ત્રણ વર્ષથી આ ત્રણેય ગામના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેથી વહેલી તકે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ત્રણેય ગામમાં બસ સ્ટેન્ડ બનાવી આપવામાં આવે તેવી માંગ કરી છે.