ગુજરાત રાજપૂત યુવા સંઘના મોરબી જિલ્લાના પ્રમુખ પદે મહેન્દ્રસિંહ ઝાલાની વરણી હવે પાઇલોટિંગ સાથે નહીં રાખે: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીઝલ બચાવવાની અપીલ બાદ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનો નિર્ણય ટંકારા આઇટીઆઇ ખાતે ૧૬ મે એ ભરતી મેળાનું આયોજન સૂડી વચ્ચે સોપારી: મોરબીના સિરામિક કારખાનામાં વીજ પુરવઠો આવતો નથી ?, જનરેટર માટે પેટ્રોલપંપેથી ડીઝલ બેરલમાં આપતા નથી ! મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ  મહિલાનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ મોરબી રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનો પાટોત્સવ યોજાયો વાંકાનેરના રંગપર ગામે સમૂહ લગ્નમાં આવેલ યુવાને અગાઉ પ્રેમ લગ્ન કરેલ હોય યુવતીના ચાર ભાઈ સહિત કુલ 5 વ્યક્તિઓએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી ઉતમ સ્વસ્થ્ય માટે લાઈફ સ્ટાઇલમાં થોડો ચેન્જ અનિવાર્ય: મોરબીમાં યોજાયેલ આરોગ્ય કથામાં વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની ટકોર
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા


SHARE













મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા

વાંકાનેરના સણોસરા ગામથી 210 નંગ મુરઘાં સુપર કેરી ગાડીમાં ભરીને કચ્છમાં યુવાન જઈ રહ્યો હતો દરમિયાન મોરબીના લાલપર ગામ પાસે કાર ચાલકે તેના વાહનને ટક્કર મારી હતી જેથી સુપર કેરી વાહન બે થી ત્રણ પલટી મારી ગયું હતું આ બનાવમાં યુવાનને બંને પગમાં ટચલી આંગળીમાં ત્રણ-ત્રણ ટાંકા આવ્યા છે અને ગાડીમાં ભરેલા 210 મુરઘાં પૈકી 150 મુરઘાના મોત થયા હતા જેથી આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

વાંકાનેરના સિંધાવદર ગામે રેલવે સ્ટેશનની સામેના ભાગમાં રહેતા વિપુલભાઈ દેવજીભાઈ વીરસોડીયા (40) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર નંબર જીજે 6 ડી 8658 ના ચાલક ગોપાલભાઈ વલ્લભભાઈ સાકરિયા રહે. જનળાકંધેવાડિયા તાલુકો વિંછીયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તે પોતાની સુપર કેરી ગાડી નંબર જીજે 36 વી 8429 માં સણોસરા ગામેથી 210 નંગ મુરઘાં ભરીને કચ્છમાં અલગ અલગ જગ્યાએ આપવા માટે જતો હતો ત્યારે મોરબી નજીકના લાલપર ગામ પાસે નેશનલ હાઈવે રોડ ઉપર આરોપી કાર ચાલકે ફરિયાદીના વાહનને ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને ફરિયાદીનું વાહન બે થી ત્રણ પલટી મારી ગયું હતું. જે બનાવમાં ફરિયાદીને બંને પગની ટચલી આંગળીમાં ઇજા થતાં 3-3 ટાંકા આવ્યા હતા અને શરીરે પણ ઇજાઓ થઈ હતી આટલું જ નહીં તેના વાહનમાં ભરેલા 210 મુરઘામાંથી 150 જેટલા મુરઘાના મોત થયા હતા જેથી હાલમાં બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.






Latest News