મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ
SHARE
મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ
મોરબી જિલ્લાના વિરપર (મોરબી) ગામે આવેલ નવયુગ શૈક્ષણિક સંકુલનું ધો. 10 નું આ વર્ષે શાનદાર પરિણામ રહ્યું છે. અને સંકુલના 122 વિદ્યાર્થીઓમાંથી 122 વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક પાસ થતા શાળાનું 100 ટકા પરિણામ આવ્યું છે.
નવયુગ શૈક્ષણિક સંકુલના ધો. 10 ના વિદ્યાર્થીઓમાંથી A1 ગ્રેડમાં 24 વિદ્યાર્થીઓ તથા A2 ગ્રેડમાં 38 વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામ સાથે પાસ થાય છે. અને નવયુગ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થી ઓમ એ. રાંકજાએ 99.90 PR અને 97.17 ટકા મેળવ્યા છે અને સમાજવિદ્યા, વિજ્ઞાન અને ગણિત ત્રણેય વિષયોમાં 100 માંથી 100 ગુણ મેળવી સર્વોચ્ચ સિદ્ધિ નોંધાવી છે. જયારે આરુષિ એલ. સદાતીયાએ 99.50 PR અને 95.67 ટકા મેળવ્યા છે અને વિજ્ઞાન વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવ્યા છે. તો માન સી. કાલરીયાએ 98.61 PR અને 94.00 ટકા મેળવ્યા છે. દક્ષ એચ. ભાંગરાએ 98.50 PR અને 93.83 ટકા, માર્ગી ટી. શેરશિયાએ 98.50 PR અને 93.83 ટકા તથા ઋત્વિ વી. વસીયાણીએ 98.38 PR અને 93.67 ટકા પરિણામ મેળવીને સંસ્થાનું નામ રોશન કર્યું છે. અને ખાસ કરીને નવયુગ શૈક્ષણિક સંકુલના દરેક વિદ્યાર્થી સફળ થતા વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષકોમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે. આ સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા, ટ્રસ્ટી તથા સમગ્ર શિક્ષકગણે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે.