મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે હજારો લોકોની સહી સાથે આવેદનપત્ર અપાયું


SHARE











મોરબી જિલ્લામાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે હજારો લોકોની સહી સાથે આવેદનપત્ર અપાયું

'ગૌ સમ્માન આહવાન અભિયાન' અંતર્ગત મોરબી જિલ્લામાં પણ ગૌભક્તો, સંત સમાજ અને જાગૃત નાગરિકો દ્વારા ગૌમાતાના રક્ષણ અને સમ્માન માટે ગાયને 'રાષ્ટ્રમાતા'નો દરજ્જો આપવાની અને ગૌવંશની હત્યા તથા તસ્કરી રોકવાની માંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને સ્થાનિક અધિકારીઓને આવેદન પત્ર આપવામાં આવ્યા છે. એન ગાયોને બચાવવા માટે કડક કેન્દ્રીય કાયદો બનાવવામાં આવે તેવી માંગ કરી છે.

હાલમાં જે આવેદનપત્રમાં ગૌવંશના રક્ષણ માટે આપવામાં આવ્યું છે તેમા ગૌવધ પર સંપૂર્ણ પ્રતિબંધ અને કડક કાર્યવાહી માટે કેન્દ્રીય ગો સેવા અને સંરક્ષણ અધિનિયમ લાગુ કરી અલગ કેન્દ્રીય મંત્રાલય બનાવવું, દેશી ગૌવંશને 'રાષ્ટ્રમાતા' અથવા 'રાષ્ટ્ર આરાધ્યા' તરીકે અધિકારિક સંવૈધાનિક માન્યતા આપવી, ગો તસ્કરી અને ગો વધને બિનજામીનપાત્ર અને સંજ્ઞેય ગુનો ગણી આજીવન કેદ અને દોષિતોની સંપત્તિ જપ્ત કરવા કડક કાયદો બનાવવો, ખેતીમાં જૈવિક ખાતર અને ઔષધિ તરીકે પંચગવ્યનો ઉપયોગ વધારવો, મિડ-ડે મીલ અને મંદિરોના પ્રસાદમાં માત્ર દેશી ગાયના ઘી-દૂધનો ઉપયોગ ફરજિયાત કરવો, દરેક ગ્રામ પંચાયતમાં 'નંદીશાળા' અને જિલ્લા સ્તરે ઓછામાં ઓછું 1 'આદર્શ ગો અભયારણ્ય' બનાવવું, રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર દર 50 થી 100 કિમી પર ગો-વાહિની એમ્બ્યુલન્સ અને 150 થી 200 કિમીના અંતરે આધુનિક ટ્રોમા સેન્ટર ઉભા કરવા, શાળાના અભ્યાસક્રમમાં 'ગો-વિજ્ઞાન' વિષયને ફરજિયાત સામેલ કરવો અને 'ચારા સુરક્ષા કાનૂન' બનાવી ઔદ્યોગિક ઉપયોગ પર રોક લગાવવી અને તમામ ગૌચર જમીનોને અતિક્રમણ મુક્ત કરવી તેવી 8 માંગણીઓ કરવામાં આવી છે. મોરબીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે નકલંગ ધામના મહંત દામજી ભગત, વિશ્વ હિન્દુ પરિષદના જીલેશભાઈ, યદુનંદન ગૌશાળાના કાનજીભાઈ અને વિપુલભાઈ પ્રજાપતિ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જયારે માળિયા, ટંકારા, વાંકાનેરમાં પણ સ્થાનિક આગેવાનો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું






Latest News