મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી સિરામીક એસો.ના હૉલ ખાતે મર્ચન્ટ એક્સપોર્ટર્સ સાથે વિદેશ વેપારને લઈને મહત્વપૂર્ણ મીટિંગ યોજાઇ


SHARE











મોરબી સિરામીક એસો.ના હૉલ ખાતે મર્ચન્ટ એક્સપોર્ટર્સ સાથે વિદેશ વેપારને લઈને મહત્વપૂર્ણ મીટિંગ યોજાઇ

મોરબીમાં તાજેતરમાં મર્ચન્ટ એક્સપોર્ટર્સ સાથે મોરબી સિરામિક એસો.ના આગેવાનોની હાજરીમાં એક મહત્વપૂર્ણ મીટિંગ યોજાઇ હતી જેમાં વિદેશમાં ECGC પોલીસી સાથે, LC સાથે અને એડવાન્સ પેમેન્ટ સાથે વેપાર કરવો વિગેરે જેવા નિર્ણય કરવામાં આવેલ છે.

મોરબી સિરામીક એસો.ના હૉલ ખાતે તાજેતરમાં સિરામીક પ્રોડક્ટને એક્સપોર્ટ કરતા મર્ચન્ટ એક્સપોર્ટર્સ સાથે એક મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આવનારા સમયમાં માલના વેચાણ માટે પેમેન્ટ ટર્મ્સને લઈને વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને ખાસ કરીને ECGC પોલીસી સાથે વેપાર કરવો, LC (લેટર ઓફ ક્રેડિટ) સાથે વેપાર કરવો,  એડવાન્સ પેમેન્ટમાં વેપાર કરવો, ફસાયેલ પેમેન્ટ્સ માટે અલગ પ્લેટફોર્મ બનાવવું અને અન્ય પેમેન્ટ સિસ્ટમ માટે પોલિસી તૈયાર કરવી વિગેરે જેવી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. આ મીટીંગનો મુખ્ય ઉદેશ એક્સપોર્ટમા ફસાયેલ પેમેન્ટ રીકવર થાય અને નવા પૈસા ફસાય નહિ તે હતો. આ મિટિંગમાં કેપેક્સિલના ચેરમેન નિલેષ જેતપરીયા, મોરબી સિરામીક એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા અને નરેન્દ્રભાઈ સંઘાત તેમજ ઓલ ઇન્ડિયા સિરામીક મર્ચન્ટ એક્સપોર્ટર એસો.ના પ્રમુખ ઉપેનભાઈ નાગર અને મોટી સંખ્યામાં મર્ચન્ટ એક્સપોર્ટર્સે હાજર રહ્યા હતા વધુમાં આગેવાનોએ જણાવ્યુ હતું કે, ભવિષ્યમાં આ પ્લેટફોર્મ સિરામીક એક્સપોર્ટર્સ માટે મજબૂત બ્રિજ તરીકે કામ કરશે. અને મર્ચન્ટ એક્સપોર્ટર, મેન્યુફેક્ચરર એક્સપોર્ટર તેમજ સપ્લાયર્સ સ્તરે જે પણ સમસ્યાઓ છે તેને વાચા આપીને તેના ઉકેલ માટે પોલિસી તૈયાર કરવામાં આવશે. જેથી સિરામીક ઉદ્યોગ આંતરરાષ્ટ્રીય વેપારમાં વધુ મજબૂત અને સુરક્ષિત રીતે આગળ વધી શકે. અને હાલમાં જે મિટિંગ મળી હતી તેમાં લેવામાં આવેલા નિર્ણયથી મોરબી તેમજ સમગ્ર ભારતના સિરામીક એક્સપોર્ટને નવી ઊંચાઈઓ મળશે તેવો વિશ્વાસ આગેવાનો સહિતના લોકોએ વ્યક્ત કર્યો છે.






Latest News