આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા ઉનાળા વેકેશન સ્પેશ્યલ રજામાં મજા સમર વેકેશન સ્પેશ્યલ વર્કશોપ મોરબી મહાપાલિકામાં ઓફ લાઇન મિકલત વેરો ભરે તો 10 અને ઓનલાઈન વેરો ભરે તો 12 ટકા રિબેટ મોરબીને સારા મેયર આપવા માટે જાગૃત નાગરિકે પ્રદેશ ભાજપ પ્રમુખને કરી રજૂઆત મોરબીમાં જુદીજુદી બે સંસ્થા દ્વારા લોકોને ગરમીની રાહત આપવા માટે શરબતનું વિતરણ કરાયું માળીયા (મી)ના સરવડ ગામે ગાળો બોલવાની ના કહેતા યુવાનની કારમાં ધોકા અને પથ્થર મારીને કરી તોડફોડ વાંકાનેરના જાલી ગામે વાડીએ ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી મોરબીમાં દેશી-વિદેશી દારૂની ત્રણ રેડમાં 1.81 લાખનો મુદામાલ કબ્જે મોરબી સિરામીક એસો.ના હૉલ ખાતે મર્ચન્ટ એક્સપોર્ટર્સ સાથે વિદેશ વેપારને લઈને મહત્વપૂર્ણ મીટિંગ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીને સારા મેયર આપવા માટે જાગૃત નાગરિકે પ્રદેશ ભાજપ પ્રમુખને કરી રજૂઆત


SHARE













મોરબીને સારા મેયર આપવા માટે જાગૃત નાગરિકે પ્રદેશ ભાજપ પ્રમુખને કરી રજૂઆત

મોરબી મહાપાલિકામાં સારા મેયર આપવા માટે મોરબીના જાગૃનાગરીક તેમજ અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના પુર્વ સલાહકાર દ્વારા પ્રદેશ ભાજપ પ્રમુખને રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબીના જાગૃનાગરીક તેમજ અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના પુર્વ સલાહકાર પી.પી.જોષીપ્રદેશ ભાજપ પ્રમુખને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી પાલીકાને મહાપાલીકાનો દરરજો આપવામાં આવ્યો છે પરંતુ મોરબી શહેરમાં કોઈ વિકાસ થયેલ નથી જેમ કે, મહેન્દ્રનગર ચોકડીનો બ્રીજ, નટરાજ હોટલ પાસેનો બ્રીજના કામ ધણા સમયથી અધુરા પડેલ છે. જેથી પ્રજાને ટ્રાફીક સહિતની મુશ્કેલીનો સામનો કરવો પડે છે આટલું જ નહીં પરંતુ રેલ્વે સુવિધાના નામે મોરબીમાં મીંડુ છે અને કોઈપણ વ્યક્તિને અમદાવાદ કે મુંબઈ જવાનું હોય તો ડેઈલી સુવિધા નથી અને હાલમાં ભુજ થી અમદાવાદ મુંબઈ જવા માટે અસંખ્ય ટ્રેન છે જે વાયા હળવદ થઈને ચાલે છે જો તેને વાયા મોરબીથી ચલાવવામાં આવે તો મોરબીના મુસાફરોને ફાયદો થાય તેમ છે. ત્યારે મોરબી મહાપાલિકાની પહેલી ચૂંટણીમાં યોજાઇ હતી જેમાં તમામ બેઠક ઉપર ભાજપના ઉમેદવારોનો વિજેતા બનેલા છે અને આગામી વર્ષમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે મોરબીના લોકોની સુખાકારીમાં વધારો થાય અને મોરબીનો વિકાસ થાય તે માટે મોરબીને સારા મેયર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.






Latest News