મોરબીમાં જુદીજુદી બે સંસ્થા દ્વારા લોકોને ગરમીની રાહત આપવા માટે શરબતનું વિતરણ કરાયું
મોરબીને સારા મેયર આપવા માટે જાગૃત નાગરિકે પ્રદેશ ભાજપ પ્રમુખને કરી રજૂઆત
SHARE
મોરબીને સારા મેયર આપવા માટે જાગૃત નાગરિકે પ્રદેશ ભાજપ પ્રમુખને કરી રજૂઆત
મોરબી મહાપાલિકામાં સારા મેયર આપવા માટે મોરબીના જાગૃત નાગરીક તેમજ અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના પુર્વ સલાહકાર દ્વારા પ્રદેશ ભાજપ પ્રમુખને રજૂઆત કરવામાં આવેલ છે.
મોરબીના જાગૃત નાગરીક તેમજ અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના પુર્વ સલાહકાર પી.પી.જોષીએ પ્રદેશ ભાજપ પ્રમુખને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી પાલીકાને મહાપાલીકાનો દરરજો આપવામાં આવ્યો છે પરંતુ મોરબી શહેરમાં કોઈ વિકાસ થયેલ નથી જેમ કે, મહેન્દ્રનગર ચોકડીનો બ્રીજ, નટરાજ હોટલ પાસેનો બ્રીજના કામ ધણા સમયથી અધુરા પડેલ છે. જેથી પ્રજાને ટ્રાફીક સહિતની મુશ્કેલીનો સામનો કરવો પડે છે આટલું જ નહીં પરંતુ રેલ્વે સુવિધાના નામે મોરબીમાં મીંડુ છે અને કોઈપણ વ્યક્તિને અમદાવાદ કે મુંબઈ જવાનું હોય તો ડેઈલી સુવિધા નથી અને હાલમાં ભુજ થી અમદાવાદ મુંબઈ જવા માટે અસંખ્ય ટ્રેન છે જે વાયા હળવદ થઈને ચાલે છે જો તેને વાયા મોરબીથી ચલાવવામાં આવે તો મોરબીના મુસાફરોને ફાયદો થાય તેમ છે. ત્યારે મોરબી મહાપાલિકાની પહેલી ચૂંટણીમાં યોજાઇ હતી જેમાં તમામ બેઠક ઉપર ભાજપના ઉમેદવારોનો વિજેતા બનેલા છે અને આગામી વર્ષમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે મોરબીના લોકોની સુખાકારીમાં વધારો થાય અને મોરબીનો વિકાસ થાય તે માટે મોરબીને સારા મેયર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.