મોરબીના વાવડી રોડે રહેતા વૃદ્ધાને મરવા મજબુર કરવાના કેસમાં ૩ મહિલા સામે કાર્યવાહી, ૩ ને શોધવા કવાયત મોરબી જિલ્લામાં લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાનનો સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી શુભારંભ કરાયો હળવદ તાલુકાની ૩ ગ્રામ પંચાયતોમાં વિલેજ કોમ્પ્યુટર આંતરપ્રિન્યોરની ભરતી કરાશે મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની વિવિધ કમિટીઓની સમીક્ષા બેઠક યોજાઈ કંપનીની દાદાગીરી-પોલીસનું દમન: મોરબીના જેતપર ગામે પોતાના ખેતરમાં ગયેલ મહિલાઓ-ખેડૂતોને ટિંગા ટોળી કરીને બહાર કાઢ્યા, અણિયારી ચોકડી કર્યો રસ્તો ચક્કાજામ મોરબીમાં સગીરાની છેડતી કરીને તેની માતા સાથે ઝઘડો કરીને ધમકી આપનારા શખ્સની ધરપકડ મોરબીમાં નજીવી વાતમાં વેપારી અને તેના ભાઈ ઉપર હુમલો કરવાના ગુનામાં વધુ 3 આરોપીની ધરપકડ મોરબીમાં મોબાઇલ એપમાં લૂડો ગેમથી જુગાર રમતા 3 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું


SHARE











વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું

વાંકાનેર તાલુકામાં ગાંધીનગરથી ગુજરાત સરકારની સિંચાઈ વિભાગની મશીનરી દ્વારા ૨૪ તળાવોને ઊંડા કરવા, પાળનું જંગલ કટિંગ, પાળ મજબૂત કરવાના કામ માટેની વાંકાનેર તાલુકા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન શ્રીમતી જિજ્ઞાસાબેન મેર દ્વારા રજૂઆત કરી હતી અને જળ સંપતિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી ઈશ્વરભાઈ કોળી દ્વારા કામને મંજૂરી આપવામાં આવી છે. જેનું ખાતમુહૂર્ત જીજ્ઞાસાબેન મેરના હસ્તે વાંકાનેર તાલુકાના ચાંચડીયા ગામે મોટા તળાવ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા પંચાયત સદસ્ય અલ્પેશભાઈ, સરપંચ પ્રેમજીભાઈ માલકીયા, સરપંચ રાજુભાઈ, નરશીભાઈ, ભગવાનભાઈ સહિત આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ગુજરાત સરકારનો આભાર માનતા જીજ્ઞાસાબેન મેરે જણાવ્યું હતું કે તળાવોની પાળ મજબૂત કરવી અને તેને ઊંડા કરવા એ જળસંચય અને ગ્રામીણ વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ કામગીરી છે. અને ચોમાસા દરમિયાન તળાવની પાળમાં થતા ધોવાણને રોકવા અને પાણીનો સંગ્રહ વધારવા માટે આધુનિક પદ્ધતિઓ અને યોગ્ય આયોજન જરૂરી છે. તળાવ ઊંડું કરવાની પ્રક્રિયામાં તળાવના તળિયે જમા થયેલો કાંપ (Silt) હિટાચી મશીન, જેસીબી, ટ્રકો દ્વારા દૂર કરવામાં આવે છે. તળાવ ઊંડું થવાથી તેમાં વધુ પ્રમાણમાં પાણી સંગ્રહિત થઈ શકે છે. તળાવની પાળ મજબૂત કરવા તળાવમાંથી નીકળેલી માટીનો ઉપયોગ કરીને પાળને વધુ ઊંચી અને પહોળી કરવામાં આવે છે. પાળના ધોવાણને રોકવા માટે આધુનિક ઇનલેટ (પાણી આવવાનો માર્ગ) અને આઉટલેટ (વધારાનું પાણી નીકળવાનો માર્ગ) બનાવવામાં આવે છે. પાળની કિનારે મજબૂત મૂળવાળા વૃક્ષો વાવવાથી માટી પકડાઈ રહે છે અને ધોવાણ અટકે છે. વધુ પાણી સંગ્રહ થવાથી આસપાસના કૂવા અને બોરના તળ ઊંચા આવે છે. સિંચાઈ માટે ખેડૂતોને પાક માટે લાંબા સમય સુધી પાણી મળી રહે છે. ઉનાળામાં પશુઓ માટે પાણીની વ્યવસ્થા રહે છે. ભૂગર્ભ જળ રિચાર્જ થાય છે. ગામમાં પાણીની અછત દૂર થાય છે.






Latest News