મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું


SHARE











વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું

વાંકાનેર તાલુકામાં ગાંધીનગરથી ગુજરાત સરકારની સિંચાઈ વિભાગની મશીનરી દ્વારા ૨૪ તળાવોને ઊંડા કરવા, પાળનું જંગલ કટિંગ, પાળ મજબૂત કરવાના કામ માટેની વાંકાનેર તાલુકા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન શ્રીમતી જિજ્ઞાસાબેન મેર દ્વારા રજૂઆત કરી હતી અને જળ સંપતિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી ઈશ્વરભાઈ કોળી દ્વારા કામને મંજૂરી આપવામાં આવી છે. જેનું ખાતમુહૂર્ત જીજ્ઞાસાબેન મેરના હસ્તે વાંકાનેર તાલુકાના ચાંચડીયા ગામે મોટા તળાવ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા પંચાયત સદસ્ય અલ્પેશભાઈ, સરપંચ પ્રેમજીભાઈ માલકીયા, સરપંચ રાજુભાઈ, નરશીભાઈ, ભગવાનભાઈ સહિત આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ગુજરાત સરકારનો આભાર માનતા જીજ્ઞાસાબેન મેરે જણાવ્યું હતું કે તળાવોની પાળ મજબૂત કરવી અને તેને ઊંડા કરવા એ જળસંચય અને ગ્રામીણ વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ કામગીરી છે. અને ચોમાસા દરમિયાન તળાવની પાળમાં થતા ધોવાણને રોકવા અને પાણીનો સંગ્રહ વધારવા માટે આધુનિક પદ્ધતિઓ અને યોગ્ય આયોજન જરૂરી છે. તળાવ ઊંડું કરવાની પ્રક્રિયામાં તળાવના તળિયે જમા થયેલો કાંપ (Silt) હિટાચી મશીન, જેસીબી, ટ્રકો દ્વારા દૂર કરવામાં આવે છે. તળાવ ઊંડું થવાથી તેમાં વધુ પ્રમાણમાં પાણી સંગ્રહિત થઈ શકે છે. તળાવની પાળ મજબૂત કરવા તળાવમાંથી નીકળેલી માટીનો ઉપયોગ કરીને પાળને વધુ ઊંચી અને પહોળી કરવામાં આવે છે. પાળના ધોવાણને રોકવા માટે આધુનિક ઇનલેટ (પાણી આવવાનો માર્ગ) અને આઉટલેટ (વધારાનું પાણી નીકળવાનો માર્ગ) બનાવવામાં આવે છે. પાળની કિનારે મજબૂત મૂળવાળા વૃક્ષો વાવવાથી માટી પકડાઈ રહે છે અને ધોવાણ અટકે છે. વધુ પાણી સંગ્રહ થવાથી આસપાસના કૂવા અને બોરના તળ ઊંચા આવે છે. સિંચાઈ માટે ખેડૂતોને પાક માટે લાંબા સમય સુધી પાણી મળી રહે છે. ઉનાળામાં પશુઓ માટે પાણીની વ્યવસ્થા રહે છે. ભૂગર્ભ જળ રિચાર્જ થાય છે. ગામમાં પાણીની અછત દૂર થાય છે.






Latest News