મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના યુવાનનું સાયલા નજીક માર્ગ અકસ્માતમાં કરૂણ મૃત્યુ


SHARE







મોરબીના યુવાનનું સાયલા નજીક માર્ગ અકસ્માતમાં કરૂણ મૃત્યુ

મોરબી જીલ્લાના માળીયા (મીં) તાલુકાના નાની બરાર ગામના રહેવાસી અશોકભાઈ પરબતભાઈ ચાવડા (ઉ.41) નામના યુવાનને સાયલા (સુરેન્દ્રનગર) પાસેના વડોદ ગામની પાસે માર્ગ અકસ્માતના બનાવમાં ગંભીર ઈજાઓ થયેલ હતી. ગત તા.2ના રોજ બનેલા અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત અશોકભાઈ ચાવડાને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. જોકે ટુંકી સારવાર દરમ્યાન અશોકભાઈનું મોત નિપજયુ હતું. જેથી મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા સ્ટાફના સતીષભાઈ બાલાસરા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં

 સામાકાંઠે રામકૃષ્ણનગરમાં રહેતા જીગુબેન મનુભાઈ ડુંગરા (25)ને ઘરે પતિએ ધોકા વડે માર મારતા સારવાર માટે સિવિલે લઈ જવાયા હતા. જયારે પાડાપુલ નીચે નદીના પટમાં માથામાં પાઈપ મારવામા આવતા કરનભાઈ ભીમાભાઈ સોલંકી (27) રહે. ભીમસર વેજીટેબલ રોડને સારવાર માટે ખસેડાયો હતો. મોરબી-વાંકાનેર હાઈવે લાલપરની પાસે અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા માનસીબેન મુકેશભાઈ પરમાર (21) રહે. લાલપરને અત્રે આયુષ હોસ્પિટલે સારવારમાં લઈ જવાયા હતા.

દવા પી જતા
 ઘુંટુ રોડે સીરામીક યુનીટના લેબર કવાટરમાં રહીને મજુરીકામ કરતા સુનીલ રમેશભાઈ દેવધા (20) નામના યુવાને કોઈ કારણોસર દવા પી લેતા તેને સારવાર માટે લઈ જવાયો હતો. જયારે મોરબીથી બાઈકમાં જામનગર જતા સમયે જોડીયાના બીણાધર ગામે બાઈક-રીક્ષાનો અકસ્માત થતા શેરબાનુ ફારૂકભાઈ સિપાઈ (53) અને સુફીયાન એઝાઝભાઈ ચૌહાણ (05) રહે. રણછોડનગર શાંતિવન સ્કુલ પાસેને ઈજાઓ થતા બંનેને અહીંની ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.

પતિએ માર માર્યો
 મોરબી પખાલી શેરીમાં રહેતા પરીવારની મુશ્કાનબેન ફૈઝલભાઈ ઘોરી (25) નામની પરણીતાને રાજકોટ બજરંગવાડી પુનીતનગર શેરી નં.8માં રહેતા પતિએ માર મારેલ હોય અત્રેની સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે હળવદના મેરૂપર ગામે વાડી વિસ્તારમાં દવા પી જતા વેરસિંગ રાજુભાઈ રાઠવા નામના 18 વર્ષના યુવાનને હળવદ પ્રાથમીક સારવાર આપીને અત્રેની સીવીલે લાવવામાં આવ્યો હતો.

 હળવદના સિરાઈ ગામે ધનજીભાઈની વાડીએ રાત્રીના એકાદ વાગ્યે ઝેરી દવા પી ગયેલ આરતીબેન લાભુભાઈ પરમાર (ઉ.18)ને સારવાર માટે અત્રેની સીવીલે લાવવામાં આવી હતી. તેણીનો લગ્નગાળો 10 માસનો હોય પોલીસે બનાવની નોંધ કરી કારણ સંદર્ભે તપાસ કરી હતી.






Latest News