મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી કાર અને ઘર પાસેથી બાઈકની ચોરીન ગુનામાં પોલીસે ચોરાઉ મુદામાલ સાથે આરોપીને દબોચ્યો મોરબીમાં નવયુગ ગ્રૂપે નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓનું હર્ષ અને ઉમંગથી કર્યું સ્વાગત મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીના ધાંધીયા, કમિશનરને કરાઇ રજૂઆત ટંકારાના મેઘપર ઝાલા ગામે જમીન માપણીના વિવાદમાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને તેના ભત્રીજાની હત્યા મોરબીના વાવડી રોડે રહેતા વૃદ્ધાને મરવા મજબુર કરવાના કેસમાં ૩ મહિલા સામે કાર્યવાહી, ૩ ને શોધવા કવાયત મોરબી જિલ્લામાં લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાનનો સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી શુભારંભ કરાયો હળવદ તાલુકાની ૩ ગ્રામ પંચાયતોમાં વિલેજ કોમ્પ્યુટર આંતરપ્રિન્યોરની ભરતી કરાશે મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની વિવિધ કમિટીઓની સમીક્ષા બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત


SHARE











વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં તાજેતરમાં મળેલ સામાન્ય સભાની મિટિંગમાં યાર્ડના યુવા ડિરેક્ટર દ્વારા ખેડૂતો તેમજ યાર્ડમાં કામ કરતા કામદારો માટે અકસ્માત મૂત્યુ સહાય આપવાની રજૂઆત કરેલ છે.

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં અગાઉની મળેલ મિટિંગમાં યાર્ડના યુવા ડિરેક્ટર અશ્ચિનભાઈ મેઘાણી રજૂઆત કરી હતી છતાં આજ સુધી ખેડૂતો અને કામ કરતા કામદારો માટે અકસ્માત મૂત્યુ સહાય આપવાની અમલવારી કરવામાં આવેલ નથી જેથી કરીને વધુ એક વખત તેઓએ માર્કેટિંગ યાર્ડની મિટિંગમાં આ બાબતે રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકા તેમજ વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં માલ વેચવા આવતાં તમામ ખેડૂત ખાતેદાર તેમજ વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં કામ કરતા તમામ મજૂરોને જે રીતે અન્ય માર્કેટિંગ યાર્ડમાં અકસ્માત મુત્યુ સહાય આપવામાં આવે છે તેવી જ રીતે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા મુત્યુ સહાય આપવામાં આવે તેવી માગણી કરેલ છે તેમજ તેઓની આ રજૂઆતને ડિરેક્ટર જલાભાઈ શેરસીયા અને યુનુસભાઈ ખોરજીયા દ્વારા ટેકો આપવામાં આવેલ છે.






Latest News