હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત
SHARE
વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત
વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં તાજેતરમાં મળેલ સામાન્ય સભાની મિટિંગમાં યાર્ડના યુવા ડિરેક્ટર દ્વારા ખેડૂતો તેમજ યાર્ડમાં કામ કરતા કામદારો માટે અકસ્માત મૂત્યુ સહાય આપવાની રજૂઆત કરેલ છે.
વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં અગાઉની મળેલ મિટિંગમાં યાર્ડના યુવા ડિરેક્ટર અશ્ચિનભાઈ મેઘાણી રજૂઆત કરી હતી છતાં આજ સુધી ખેડૂતો અને કામ કરતા કામદારો માટે અકસ્માત મૂત્યુ સહાય આપવાની અમલવારી કરવામાં આવેલ નથી જેથી કરીને વધુ એક વખત તેઓએ માર્કેટિંગ યાર્ડની મિટિંગમાં આ બાબતે રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકા તેમજ વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં માલ વેચવા આવતાં તમામ ખેડૂત ખાતેદાર તેમજ વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં કામ કરતા તમામ મજૂરોને જે રીતે અન્ય માર્કેટિંગ યાર્ડમાં અકસ્માત મુત્યુ સહાય આપવામાં આવે છે તેવી જ રીતે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા મુત્યુ સહાય આપવામાં આવે તેવી માગણી કરેલ છે તેમજ તેઓની આ રજૂઆતને ડિરેક્ટર જલાભાઈ શેરસીયા અને યુનુસભાઈ ખોરજીયા દ્વારા ટેકો આપવામાં આવેલ છે.









