હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ખોડિયાર માતાજીનાં મંદિરની દાન પેટીમાંથી રોકડા 50 હજારની ચોરી: બે સામે ફરિયાદ


SHARE











મોરબીમાં ખોડિયાર માતાજીનાં મંદિરની દાન પેટીમાંથી રોકડા 50 હજારની ચોરી: બે સામે ફરિયાદ

મોરબીમાં ગ્રીન ચોક પાસે આવેલ નાગનાથ શેરીમાં ખોડીયાર માતાજીના મંદિરમાં ચોરી કરવામાં આવી છે જેથી બે શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દાન પેટીમાંથી રોકડા 50,000 રૂપિયાની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના સમાકાંઠા વિસ્તારમાં આવેલ અનુપમ સોસાયટીમાં રહેતા ઋષભભાઈ કિરણભાઈ પારેખ (36)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઋત્વિક ઉજેસભાઈ જોશી રહે. ગ્રીનચોક મોરબી તથા વરુણ મનસુખભાઈ ડોડીયા રહે. નાગનાથજી મોરબી વાળા સામે ચોરીની ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે, નાગના શેરીમાં આવેલ ખોડીયાર માતાજીના મંદિરમાં દર્શન કરવા આવીને બંને શખ્સો આવ્યા હતા અને ત્યાર બાદ તે શખ્સોએ દાન પેટીનું તાળું તોડીને તેમાંથી 50 હજાર રૂપિયાની ચોરી કરી છે જેથી હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબીમાં આવેલ રોહીદાસપરા વિસ્તારમાં રેલ્વે સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા નંદકુંવર લાલજીભાઈ ચૌહાણ (33) નામના યુવાનને ટંકારા નજીક આવેલ ભારત પેટ્રોલિયમ નજીક બાઇક ડિવાઇડર સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

બાળક સારવારમાં

ટંકારાના છતર ગામે રહેતા અનિલભાઈ ડામોરનો સાડા ત્રણ વર્ષનો દીકરો આયુષ ગઈકાલે કોઈ કારણોસર રમતા રમતા ભૂલથી કેમિકલ પી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા ને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News