વાંકાનેરના વિનયગઢ ગામની સીમમાં જુદી જુદી બે જગ્યા ખનીજ ચોર ઉપર રેડ: 3.04 કરોડનો મુદ્દામાલ કબજે ટંકારામાં સિક્યુરિટી ગાર્ડની રૂમમાં ઘૂસીને માર મારીને 7 હજારની લૂંટ વાંકાનેર બાઉન્ડ્રી પાસે સ્કોર્પિયોના ચાલકે ઉડાવતા રોડ ક્રોસ કરીને ચા પીવા જતાં ટ્રક ડ્રાઈવરને ગંભીર ઇજા વાંકાનેરના જોધપર ગામે બાલદા દાઢીના રૂપિયા બાબતે બોલાચાલી કરીને યુવાનને માર માર્યો વાંકાનેરમાં યુવાનનું અપહરણ કરીને બે શખ્સોએ માર માર્યો મોરબી નજીક બોલેરોને ટ્રક ચાલકે ટક્કર મારતા યુવાનને પગમાં ફ્રેકચર મોરબીમાં ખોડિયાર માતાજીનાં મંદિરની દાન પેટીમાંથી રોકડા 50 હજારની ચોરી: બે સામે ફરિયાદ હળવદના ડુંગરપુર અને મોરબીમાંથી દારૂની 13 બોટલ સાથે કુલ 3 આરોપી પકડાયા, એકની શોધખોળ: વાંકાનેરમાં જુગાર રમતા 5 પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ખોડિયાર માતાજીનાં મંદિરની દાન પેટીમાંથી રોકડા 50 હજારની ચોરી: બે સામે ફરિયાદ


SHARE













મોરબીમાં ખોડિયાર માતાજીનાં મંદિરની દાન પેટીમાંથી રોકડા 50 હજારની ચોરી: બે સામે ફરિયાદ

મોરબીમાં ગ્રીન ચોક પાસે આવેલ નાગનાથ શેરીમાં ખોડીયાર માતાજીના મંદિરમાં ચોરી કરવામાં આવી છે જેથી બે શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દાન પેટીમાંથી રોકડા 50,000 રૂપિયાની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના સમાકાંઠા વિસ્તારમાં આવેલ અનુપમ સોસાયટીમાં રહેતા ઋષભભાઈ કિરણભાઈ પારેખ (36)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઋત્વિક ઉજેસભાઈ જોશી રહે. ગ્રીનચોક મોરબી તથા વરુણ મનસુખભાઈ ડોડીયા રહે. નાગનાથજી મોરબી વાળા સામે ચોરીની ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે, નાગના શેરીમાં આવેલ ખોડીયાર માતાજીના મંદિરમાં દર્શન કરવા આવીને બંને શખ્સો આવ્યા હતા અને ત્યાર બાદ તે શખ્સોએ દાન પેટીનું તાળું તોડીને તેમાંથી 50 હજાર રૂપિયાની ચોરી કરી છે જેથી હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબીમાં આવેલ રોહીદાસપરા વિસ્તારમાં રેલ્વે સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા નંદકુંવર લાલજીભાઈ ચૌહાણ (33) નામના યુવાનને ટંકારા નજીક આવેલ ભારત પેટ્રોલિયમ નજીક બાઇક ડિવાઇડર સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

બાળક સારવારમાં

ટંકારાના છતર ગામે રહેતા અનિલભાઈ ડામોરનો સાડા ત્રણ વર્ષનો દીકરો આયુષ ગઈકાલે કોઈ કારણોસર રમતા રમતા ભૂલથી કેમિકલ પી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા ને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News